Chapter : હજ
(Page : 115-116)
સવાલ :– મુંબઈથી હવાઈ જહાઝમાં સવાર થતાં પહેલાં એહરામ બાંધવામાં આવે છે અને હજ અથવા ઉમરહનો એહરામ બાંધી તલબિય્યહ પઢવામાં આવે છે. હવે એહરામની હાલતમાં હવાઈ જહાઝમાં પેસેન્જરોને પીવા માટે શરબત આપાવામાં આવે છે અને તેમાં એસેન્સ વગેરેની ખૂશ્બૂ હોય છે. તો ઘણા લોકોનું કહેવું છે કે એહરામની હાલતમાં ખૂશ્બૂદાર વસ્તુ ખાવી – પીવી જાઈઝ નથી અને અમુક માણસોનું કહેવું છે કે સુગંધી શરબત પીવામાં વાંધો નથી માટે અમુક માણસો તે શરબત પીએ છે અને અમુક માણસો ઈન્કાર કરે છે તો એહરામની હાલતમાં ખૂશ્બૂદાર શરબત પીવા વિશે ખુલાસો લખશો.
જવાબ :– જે પીણામાં એસન્સ અથવા એવી બીજી કોઈ ખૂશ્બૂની મિલાવટ હોય, એહરામની હાલતમાં તેવું પીણું પીવાની મનાઈ છે. જો મુહરિમ આ પ્રકારનું ખૂશ્બૂદાર પીણું પીશે તો તેના ઉપર સદકો આપવો વાજિબ થશે, જો એક જ મજલિસમાં વારંવાર તેને પીશે તો દમ આપવો વાજિબ થશે અને જો અલગ અલગ મજલિસમાં અનેક વાર પીશે તો દરેક વાર પીવા ઉપર સદકો આપવો વાજિબ થશે, અને સદકાનું પ્રમાણ અડધો સાઅ ઘઉં એટલે કે એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉ અથવા તેટલા પ્રમાણમાં ઘઉંની કિંમત છે. (ઉમ્દતુલ ફિકહ – ૪/૪૮ર)
Log in or Register to save this content for later.