Chapter : હજ
(Page : 114-115)
સવાલ :– એક માણસ પોતે એહરામમાં છે, તો તે બાલ કપાવવા સિવાયના બીજા અરકાન પૂરા કર્યા પછી પોતાના યા બીજાના બાલ કાપી યા મૂંડી શકે છે કે નહિ? ઘણા વખતે એમ બને છે કે બધા જ એહરામમાં હોય છે જેથી બાલ કાપનાર મળવો મુશ્કેલ હોય છે અથવા રાતના મોડું થવાના લઈને હજામની દુકાનો બંધ હોય છે.
જવાબ :– જે હાજી એહરામમાં હોય અને તે દસમી ઝિલ હજના બાલ કપાવવા પહેલાંના બધા કામોથી ફારિગ થઈ ગયો હોય એટલે કે મુફરિદ હોય અને જમરએ અકબહની રમીથી ફારિગ થઈ ગયો હોય અને કારિન અથવા મુતમત્તિઅ હોય અને જમરએ અકબહની રમી અને હજની કુરબાનીથી ફારિગ થઈ ગયો તો આવો મુહરિમ માણસ હલાલ થવા માટે પોતે પોતાના બાલ પણ કાપી યા મૂંડી શકે છે અને પોતાના જેવા ફારિગ થયેલા બીજા મુહરિમના બાલ પણ કાપી અથવા મૂંડી શકે છે, અને આવી સૂરતમાં બાલ કાપનાર અને કપાવનાર મુહરિમ ઉપર કોઈ પણ પ્રકારનો કફફારો પણ વાજિબ નહિ થાય અને ઉમરહના બધા અરકાન એટલે તવાફ અને સઈથી ફારિગ થયા પછી હલાલ થવા માટે પોતે પોતાના અને અરકાનથી ફારિગ થયેલા બીજા મુહરિમના બાલ કાપી અથવા મૂંડી શકે છે. (ઝુબ્દતુલ મનાસિક–૧/૧૭૬, ર/૭૪)
Log in or Register to save this content for later.