Chapter : હજ
(Page : 113-114)
સવાલ :– હિન્દુસ્તાની હાજીઓ માટે મુંબઈના બદલે જિદ્દહથી એહરામ બાંધવાનો શું હુકમ છે?
જવાબ :– વિમાન દ્વારા હજ પઢવા જતા હિન્દી હાજીઓ માટે જિદ્દહ પહોંચતા પહેલાં એહરામ બાંધી લેવું જરૂરી છે અને મુંબઈ એરપોર્ટ ઉપર અથવા વિમાનમાં બેસીને તેના ઉડતા પહેલાં જ એહરામ બાંધી લેવું અફઝલ અને એહતિયાતની વાત છે, અલબત્ત જો વિમાની મુસાફરી દરમ્યાન એહરામની હદ આવતાં પહેલાં એહરામનું એલાન કરવામાં આવતું હોય અને એ’લાન કરનાર કોઈ માહિતગાર દીનદાર મુસલમાન હોય તો તેના એલાન કરતાં સુધી એહરામમાં મોડું કરી શકાય છે. બાકી બધા માહિતગાર આલિમોના સર્વસંમત મંતવ્ય મુજબ વિમાનના સફરમાં જિદ્દહ સુધી એહરામ મોડું કરવું જાઈઝ નથી. જો વિમાનની મુસાફરીમાં જિદ્દહ સુધી એહરામમાં મોડું કરવામાં આવશે તો એહરામની હદ ઉપરથી વિના એહરામે પસાર થવાના કારણે દમ આપવો વાજિબ થશે.
દરિયાઈ માર્ગે હજ ઉમરહ માટે જતાં હિન્દુસ્તાની હાજીઓ માટે જિદ્દહ પહોંચીને એહરામ બાંધવા બાબત ઉલમાએ કિરામનો મતભેદ છે. હઝરત મવલાના મુફતી મુહંમદ શફીઅ સાહેબ (રહ.) જાઈઝ ફરમાવે છે. ઘણા આલિમો જિદ્દહથી પહેલા ”યલમલમ”ની સીધથી જ સ્ટીમરમાં એહરામ બાંધી લેવાને જરૂરી ફરમાવે છે. જિદ્દહ સુધી મોડું કરાવને નાજાઈઝ કહે છે, માટે એહતિયાતની વાત એ છે કે દરિયાઈ મુસાફરીમાં યલમલમની સીધથી જ એહરામ બાંધી લેવામાં આવે અને બને તેટલું જલદી એહરામ બાંધી લેવું અફઝલ પણ છે. (જ.ફિકહ–૧)
Log in or Register to save this content for later.