Chapter : હજ
(Page : 112-113)
સવાલ :– એહરામની હાલતમાં વુઝૂ કરતી વખતે હાજીના વાળ તોડયા વગર હાથ લગાડવાથી ખરી પડતા હોય તો શું દમ આપવું પડશે?
જવાબ :– મુહરિમ માણસના વાળ વુઝૂ કરતી વખતે પોતે તોડયા વગર હાથ લગાડવાથી ખરી પડતા હોય તો પણ કફફારો લાગુ પડે છે પરંતુ દમ એટલે કે જાનવર ઝબહ કરવું તો ત્યારે વાજિબ થાય જયારે કમથી કમ ચોથાઈ માથાના અથવા ચોથાઈ દાઢીના વાળ ખરી પડે. જો ચોથાઈ ભાગ બરાબર ન ખરે બલ્કે તેથી થોડા પ્રમાણમાં અમુક વાળ ખરે તો દમ વાજિબ નથી. સદકો વાજિબ છે અને સદકાનું પ્રમાણ ખરી પડેલ ત્રણ વાળના બદલે એક મઠ્ઠુી અનાજ આપવું છે.
(ગુન્યહ – રપ૮, શામી–ર/ર૦૪, અલ્ બહર – ૩/૯)
Log in or Register to save this content for later.