[૭૭] જે માણસ હલાલ થવા માટે વાળ મૂંડાવવા કે કપાવવાથી મઅઝૂર હોય

Chapter : હજ

(Page : 111-112)

સવાલ :– ઉમરહ અને હજ કરવા જનાર વ્યકિતના માથામાં ખરજવાની બીમારી હોવાથી તે માથુ મૂંડાવી ન શકે અને ઉમરહ કર્યા બાદ વાળ કતરાવી હલાલ થવાથી હજના એહરામથી હલાલ થતી વખતે કતરાવવા પાત્ર વાળ ન હોય તો હજથી કેવી રીતે હલાલ થાય અને માથું ન મૂંડાવી શકવા બદલ શું કરવું પડે?

જવાબ :– ઉમરહ વખતે સુન્‍નત તરીકા મુજબ પૂરા માથાના વાળ આંગળીના એક બેડકાથી થોડી વધુ લંબાઈમાં કતરાવી લીધા પછી હજથી હલાલ થતી વખતે ઉપરના પ્રમાણમાં કતરાવવાપાત્ર વાળ માથા ઉપર નથી તો ઓછામાં ઓછા ચોથાઈ માથાના વાળ મૂંડાવવા જરૂરી છે. જો પૂરા માથામાં એક સાથે અથવા અલગ અલગ ભાગોમાં થઈ ચોથાઈ માથાની બરાબર એવી જગ્યા છે કે ખરજવાની અસરથી ખાલી છે અને મૂંડાવી શકાય તેમ છે તો તેવા મૂંડાવવા પાત્ર ચોથાઈ માથાને મૂંડાવી હજના એહરાથી સમયસર હલાલ થવું જોઈએ.(ઝુબદતુલ મનાસિક – ૧/૧૭૪)

                જો આ પ્રમાણે ચોથાઈ માથું પણ ખરજવાની અસરથી ખાલી ન હોવાના લઈ મૂંડાવી શકાતું ન હોય તો હવે મઅઝૂર સમજવામાં આવશે અને વાળનું કતરાવવું મૂંડાવવું માફ થઈ જશે અને મજકૂર વાજિબને છોડવા બદલ કોઈ કફ્‌ફારો આપવો પણ વાજિબ નહિ થાય.

                આવા માણસ માટે અફઝલ છે કે બારમી ઝિલ હજની સાંજ સુધી પોતાને એહરામની હાલતમાં સમજે અને ત્યાં સુધી એહરામની પ્રતિબંધક વસ્તુઓનો ઉપયોગ ન કરે અને મનાઈના કામો ન કરે, જયારે બારમી ઝિલ હજની સાંજ થઈ જાય તો મનાઈના કામોંથી કોઈ કામ કરી હલાલ થઈ જાય જેમ કે મુછ કાપવી, નખ કાપવા, સુગંધ લગાડવી અથવા સીવેલા કપડાં પહેરી લેવા.  (દુ.મુખ્તાર શામી – ર/૧૯૦)

Log in or Register to save this content for later.