Chapter : હજ
(Page : 110-111)
સવાલ :– સઉદીમાં વસતા વિદેશી મુસ્લિમ ભાઈઓ વખતો વખત મકકહ મુકર્રમહ ઉમરહ અદા કરવા જાય છે. કોઈ માણસ પહેલી વખત ઉમરહ કરવા જાય છે. ત્યારે માથાના વાળ સાફ કરાવે છે ત્યાર પછી બીજા–ત્રીજા વખતે અથવા ગમે ત્યારે ઉમરહ માટે જાય છે ત્યારે હલાલ થવા માટે માથામાંથી ફકત બે–ચાર વાળ કાતરથી કપાવી લે છે. તો આ રીતે વાળ કપાવવાનો શું હુકમ છે?
જવાબ :– પહેલી વાર ઉમરહ કરીને હલાલ થયા પછી બીજી ત્રીજી કે ગમે તેટલી વાર ઉમરહ કરાવમાં આવે દરેક વાર જ ઉમરહના એહરામથી હલાલ થવા માટે કમથી કમ ચોથાઈ માથાના વાળ એક બેડકાથી થોડી વધુ લંબાઈના પ્રમાણમાં કપાવવા અથવા મૂંડાવવા વાજિબ છે. જો એટલા લાંબા વાળ ન હોય કે મજકૂર પ્રમાણમાં કપાવી શકાય તો પુરૂષ માટે મૂંડાવવા વાજિબ છે. જો એક પછી એક એમ વારંવાર અનેક ઉમરહ કરવાથી માથા ઉપર બિલકૂલ જ વાળ બાકી ન રહે તો ઉમરહના એહરામથી હલાલ થવા માટે માથા ઉપર માત્ર અસ્ત્રો ફેરવવો પણ વાજિબ છે અને જયારે લાંબા વાળ હોય ત્યારે સુન્નત તરીકો તો એ જ છે કે પૂરા માથાના વાળ મજકૂર પ્રમાણમાં કતરવવામાં આવે અથવા મૂંડાવવામાં આવે. ઉપર લખવા મુજબ ચોથાઈ માથાના વાળ કતરાવવા અથવા મૂંડાવવાથી ઉમરહનો વાજિબ તો અદા થઈ જશે અને એહરામથી હલાલ પણ થઈ જશે, પરંતુ સુન્નતની વિરૂધ્ધ હોવાથી મકરૂહે તહરીમી ગણાશે.
સવાલમાં લખવા મુજબ ફકત બે – ચાર વાળ કાપી લેવાથી ઉમરહના એહરામથી હલાલ નહિ થાય અને ઉમરહનો એક વાજિબ અદા થવાથી રહી જશે અને જયાં સુધી ઉપરની વિગત મુજબ બાલ કપાવે કે મૂંડાવે નહિ ત્યાં સુધી એહરામ બાકી રહેવાના કારણે એહરામના પ્રતિબંધક કામો જેમ કે ખુશ્બુનો ઉપયોગ કરવો, મુંછ, નખ કાપવા, સીવેલા કપડાં પહેલા, માથુ – મોઢું ઢાંકવું વગેરે કામો કરવાથી ગુનેહગાર થતો રહેશે અને દરેક જિનાયત બદલ તેેને લગતો કફફારો પણ આપવો પડશે. (શામી–ર/ ૧૮૧, ઝુ.મનાસિક – ૧/૧૭૪)
Log in or Register to save this content for later.