Chapter : હજ
(Page : 102-103-104)
સવાલ :– એક માણસે એહરામ મદીનહથી બાંધ્યો, ચેક પોષ્ટ પર ગયા પછી પોલીસ વાળાઓએ ચેકપોષ્ટ પાર ના થવા દીધો, તો એહરામ છોડી નાખ્યો. તો દમ દેવો પડશે કે નહિ? ત્યાં અમુક લોકો એમ કહે છે કે એહરામ બાંધતાં પહેલાં નિય્યત એમ કરવી કે કોઈ અડચણ વચમાં આવશે તો એહરામ છોડી નાખીશ તો દમ દેવો ના પડે અને એહરામ છોડી નાખે તો પણ ચાલે.
જવાબ :– આવો મુહરિમ માણસ જેને કાનૂની રૂકાવટના કારણે હજ – ઉમરહ કરવાથી રોકવામાં આવે તેને ”મુહસર” કહેવામાં આવે છે અને મુહસર માટે હુકમ આ છે કે જો તે પોતાના એહરામ મુજબ હજ – ઉમરહની અદાયગી શકય અને સરળ બનતાં સુધી એહરામ બાકી રહેવાની સહનશકિત ધરાવતો હોય તો તે પોતાના એહરામની ઈબાદત કરીને જ એહરામથી હલાલ થવા ચાહે તો તે પોતાના એહરામ મુજબ હજ – ઉમરહની અદાયગીની તક મળતાં સુધી એહરામમાં બાકી રહે અને હજ ઉમરહ અદા કરીને એહરામથી હલાલ થાય.
જો મજકૂર મુહરિમ પોતાના એહરામ મુજબ હજ – ઉમરહ અદા કરતાં સુધી એહરામમાં બાકી રહેવાની સહનશકિત અને હિંમત ન ધરાવતો હોય અને મજકૂર કાનૂની રૂકાવટના કારણે હજ – ઉમરહ કરતાં પહેલાં જ કોઈ માણસ અહેરામથી હલાલ થવા ચાહતો હોય તો તે માણસ ઉપર વાજિબ છે કે એહરામ ખોલતાં પહેલાં કોઈ માણસ સાથે કુરબાની લાયક હદીનું જાનવર અથવા કુરબાની લાયક નાના અથવા મોટા જાનવરની કિંમત મોકલે જેનાથી તે માણસ ત્યાં હરમમાં જઈ જાનવર ખરીદી હદી રૂપે ઝબહ કરી અથવા કરાવી આપે જો ફકત હજ અથવા ફકત ઉમરહનો એહરામ હોય તો માત્ર એક જાનવર નાનું કે તેને ખરીદવા તેની કિંમત મોકલવી વાજિબ છે અને જો હજ – ઉમરહ બંનેનો એહરામ હોય તો બે નાના જાનવરો અથવા એક મોટું જાનવર કે તેની કિંમત મોકલવી વાજિબ છે અને જેની સાથે હદીનું જાનવર અથવા જાનવરની કિંમત મોકલવામાં આવે તેની સાથે તે હદીના જાનવરના ઝબહ કરવાનો દિવસ અને વખત પણ નકકી કરી લેવામાં આવે જયારે મુહસર મુહરિમે આ પ્રમાણે જાનવર કે તેની કિંમત હરમમાં જનાર સાથે મોકલી આપી તો હવે તેણે ત્યાં રૂકાવટની જગ્યાએ રોકાય રહેવું જરૂરી નથી ત્યાંથી તે પોતાના વતન કે બીજી કોઈ જગ્યાએ જઈ શકે છે. અલબત્ત, જયાં સુધી જાનવરના ઝબહનો વખત નહિ થાય અને જાનવર ઝબહ નહિ થાય ત્યાં સુધી તેણે એહરામમાં બાકી રહેવું અને એહરામની પાબંદીઓનું પાલન કરવું જરૂરી છે, જયારે જાનવર ઝબહ થઈ જશે તો હવે મજકૂર મુહસર મુહરિમ હલાલ થવા માટે તલબિય્યહ બંધ કરી દેશે, જાનવર ઝબહ થયા પછી હલાલ થવા માટે તેણે વાળ મૂંડાવવા કે કપાવવા જરૂરી નથી તે વિના જ હલાલ થઈ જશે પરંતુ વાળ મૂંડાવવા કે કપાવવા મુસ્તહબ છે, આજકાલ મકકહ મુકર્રમહમાંથી ફોનથી સંપર્ક કાયમ કરવો શકય છે અને સરળ છે, માટે જો મુહસર મુહરિમ અને તેના તરફથી દમે ઈહસારને ઝબહ કરનાર એક બીજા ઉપર ફોનની વ્વસ્વથા કરી શકતા હોય તો બેહતર આ છે કે હદીનું જાનવર, ઝબહનો દિવસ નકકી કરવા છતાં પણ ઝબહ પછી ફોનથી મુહરિમને જાણ થઈ જાય તાકે તે સંતોષકારક હાલતમાં હલાલ થાય અને કોઈ પ્રકારની બેચેની બાકી ન રહે.
પૂછેલી સૂરતમાં જયારે કે મજકૂર મુહરિમે ઈહસારની હદી આપતાં પહેલાં જ એહરામ છોડી નાખ્યો છે તો આ સૂરતમાં તે એહરામથી નીકળેલો અને હલાલ થયેલો નહિ ગણાય અને તેણે હવે પછી એહરામથી હલાલ થવા માટે એક હદી તો ઉપરની વિગત મુજબ એહરામથી હલાલ થવા માટે હરમમાં ઝબહ કરાવવી પડશે અને એહરામ છોડી દીધા પછી પોતાને હલાલ સમજીને એહરામના પ્રતિબંધક કામોમાંથી જેટલા હદી અથવા સદકો વાજિબ થવા પાત્ર કામો જેટલી વાર કર્યો હશે તેટલી સંખ્યામાં હદીઓ અથવા સદકાઓ આપવા પડશે અને અમુક ફુકહાએ કિરામના મંતવ્ય મુજબ આવી સૂરતમાં (એહસારની હદી ઉપરાંત) બધી જિનાયતો માટે માત્ર એકદમ આપશે તો પણ જાઈઝ છે. (ગુન્યહ – ૧૬૮, શામી –ર/ર૩૪)
જે મુહસર મુહરિમ એહસારની હદી ઝબહ કરાવીને હલાલ થાય જો તેણે હજ–ઉમરહ બન્નનો એહરામ બાંધ્યો હતો તો હવે પછી તેણે એક હજ અને બે ઉમરહ કરવા જરૂરી છે અને જો માત્ર હજનો એહરામ હતો તો એક હજ અને એક ઉમરહ કરવો જરૂરી છે અને જો તેણે ઉમરહનો એહરામ બાંધ્યો હતો તો તેની કઝા માટે માત્ર એક ઉમરહ કરવો જરૂરી છે. (શામી – ર)
એહરામ બાંધતી વખત ચાહે એવી શર્ત લગાડી હોય અથવા નિય્યત કરી હોય કે જો કોઈ રૂકાવટ ઉપસ્થિત થશે તો એહરામ ખોલી નાખીશ તો પણ હજ – ઉમરહ અદા કર્યા વગર હલાલ થવા માટે હદી આપવી વાજિબ અને જરૂરી છે. (શામી – ર)
Log in or Register to save this content for later.