Chapter : હજ
(Page : 97)
સવાલ :– એક માણસ સઉદીમાં રહે છે અને એક વખત મકકહ જઈને આવ્યો હોય, હવે કેટલા સમય પછી જાય તો એહરામ બાંધવો પડે અને એહરામ બાંધે તો ઉમરહ કરવો પડે કે કેમ?
જવાબ :– જે માણસ મકકએ મુકર્રમહ અથવા હરમ શરીફમાં જવાના ઈરાદાથી કોઈ પણ મીકાતની હદથી બહારના વિસ્તારમાંથી જાય તો તેને ઉમરહ અથવા હજનો એહરામ બાંધીને જવું જરૂરી છે, ચાહે આથી પહેલાં તે ગમે તેટલા થોડા કે વધુ સમય પહેલાં હજ કે ઉમરહ કરીને પાછો ફર્યો હોય, જો હજના દિવસો નઝદીક હોય તો હજનો એહરામ બાંધે નહિ તો ઉમરહનો એહરામ બાંધે, અને હજનો એહરામ બાંધે તો ઉમરહ કરવો જરૂરી નથી. (શામી – ર/૧પ૪)
Log in or Register to save this content for later.