[૪૯] મુંબઈથી જિદ્દહના સફરમાં ઔરત સાથે મહરમ કે શોહરનું હોવું જરૂરી છે

Chapter : હજ

(Page : 86-87)

સવાલ :– મારો ભાઈ છેલ્લા ચાર વર્ષથી સઉદીમાં નોકરી કરે છે તેઓનો ઈરાદો આ વર્ષે પોતાની ઔરતને હજમાં બોલાવવાનો છે, જેની સૂરત એ છે કે અહિંઆ મુંબઈથી  ઘરડા માણસો સાથે વિમાનમાં બેસાડવામાં આવે ત્યાં જિદ્દહ એ ભાઈ એરપોર્ટ પર આવી લઈ જાય, હજથી ફારિગ થઈને ફરી પાછા એ ભાઈ ઓરતને જિદ્દહ એરપોર્ટ પર વિમાનમાં બેસાડી દે અને અમો મુંબઈ જઈ લઈ આવીએ તો આ વિષે શરઈ હુકમ શું છે?

જવાબ :–  મુંબઈથી જિદ્દહ વિામાનમાં જવા આવવાના સમય દરમ્યાન પણ મહરમ (એટલે કે એવો પુરૂષ રિશ્તેદાર કે શરઈ દ્રષ્ટિએ તેની સાથે ઓરતનો નિકાહ હંમેશા માટે હરામ હોય) અથવા શોહરનું સાથે હોવું જરૂરી છે. મજકૂર ફકત વિમાનનો સફર પણ મહરમ કે શોહર વિના જાઈઝ નથી.         (શામી–ર)

Log in or Register to save this content for later.