[૪૮] દિયર સાથે ઔરત હજ પઢવા ન જઈ શકે

Chapter : હજ

(Page : 85-86)

સવાલ :– ચાલુ વર્ષે મારા સગા કાકા જેમની ઉંમર ૬૬ વર્ષની છે. મારા સગા કાકી જેમની ઉંમર લગભગ ૬૬ વર્ષની છે, તેમના એક  દિકરી જેમની ઉંમર ર૭ વર્ષની છે, આ ત્રણેવ સાથે વિમાન દ્રારા ઈ.અલ્લાહ હજ માટે જનાર છે, હવે મારા ભાઈ સઉદીયામાં છે, તે મારા વાલિદહને હજ માટે બોલાવવા વિચારે છે, મારા વાલિદહની ઉંમર લગભગ ૭પ વર્ષ છે, મારા વાલિદ સાહેબની વફાત થઈ ગઈ છે, તો ઉપરોકત મારા કાકા – કાકી સાથે મારા વાલિદહ હજ માટે જઈ શકે કે નહિ તે મસઅલાની રૂએ ખુલાસો કરશો.

જવાબ :– ઔરતની હજ માટે મહરમ અથવા શૌહરનું સફરમાં સાથે હોવું જરૂરી છે, ચાહે ઔરત જવાન હોય કે ઘરડી, અને મહરમ એટલે કે એવો રિશ્તેદાર કે જેનાથી કદી પણ નિકાહ જાઈઝ ન થઈ શકે.

                સવાલમાં દર્શાવેલ વ્યકિતઓ આપની વાલિદહના મહરમ નથી માટે મહરમ વગર તેઓ સાથે હજ માટે જવું જાઈઝ નથી ચાહે ત્યાં સઉદીયામાં આપના ભાઈ હોય અને તે હજમાં શરીક પણ થવાના હોય, તો પણ અહિંઆથી વગર મહરમે હજ માટે જવું જાઈઝ નથી. જો વગર મહરમે જશે તો શરઈ હુકમ અને હદીષ શરીફની મુખાલફત કરવાથી ગુનેહગાર ગણાશે અને મહરમ મળતાં સુધી નહિ જાય તો ન જવામાં કોઈ ગુનોહ નહિ થાય.

                બુખારી શરીફ અને મુસ્લિમ શરીફની હદીષ છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે કે અલ્લાહ તઆલા પર અને છેવટના દિવસ (કયામત) પર ઈમાન ધરાવનાર ઔરત માટે હલાલ નથી કે તે (પગપાળા મુસાફરીથી) એક રાત દિવસના અંતરનો સફર કરે સિવાય એ કે પોતાના મહરમ સાથે હોય. બીજી રિવાયતમાં ત્રણ દિવસનુ અને શવહરનું વર્ણન પણ છે. (દુર્રે મુખ્તાર શામી – ર/૧૪૬)

Log in or Register to save this content for later.