Chapter : હજ
(Page : 81)
સવાલ :– હું સઉદી અરબીય્યહ – દેહરાનમાં નોકરી કરું છું, હવે મારા ઘરમાંથી મારી ઔરતને મારી જગ્યાએ બોલાવું. મુંબઈથી દેહરાન લગભગ (ર) કલાકનો રસ્તો છે અને મુંબઈથી તેઓ એકલા મારા મુકામે આવે ત્યાર બાદ હમો બન્ન સાથે હજમાં જઈ શકીયે છીએ કે નહિ?
જવાબ :– તમારી ઔરત અહિંઆથી દેહરાન સુધી વગર મહરમે કે વગર શોહરે સફર કરે એ નાજાઈઝ છે, ચાહે એ સફર હવાઈ જહાઝથી કરવાનો હોય અને ચાહે દેહરાન પહોંચવામાં ફકત રાા કલાકનો સમય લાગતો હોય. હા, અહિંઆથી તે કોઈ મહરમ સાથે દેહરાન આવે અથવા હજમાં મકકહ પહોંચે અને પછી તમારી સાથે દેહરાનથી મકકહમાં હજ અદા કરે તો એ જાઈઝ છે. બાકી જો અહિંઆથી વગર મહરમે દેહરાન આવશે અને ત્યાંથી તમારી સાથે હજ કરશે તો હજ તો અદા થઈ જશે પણ શરઈ હુકમ અને હદીષ શરીફની મુખાલફત કરવાથી ગુનેહગાર થશે. (શામી–ર/૧૪૬)
Log in or Register to save this content for later.