[૩૬] પતિ–પત્ની મકકહ પહોંચ્યા પછી હજ પહેલાં પતિની વફાત થઈ જાય તો ઔરતની ઈદ્દત અને હજનો હુકમ

Chapter : હજ

(Page : 78)

સવાલ :– અહીંથી ધણી – ધણીયાણી (પતિ–પત્ની) હજે બયતુલ્લાહ શરીફ જાય અને ત્યાં પતિનું અવસાન થાય તો હજુ હજના અરકાન અદા કર્યા નથી તો ઈદ્દનો શું હુકમ છે?

જવાબ :– મકકહ મુકર્રમહ પહોંચીને ધણીની વફાત થઈ જાય તો ત્યારથી ઔરતની વફાતની ઈદ્દત શરૂ થયેલી ગણાશે, પરંતુ વફાતની  ઈદ્દતમાં હોવા છતાં તે હજના અરકાન અદા કરવા માટે ઘરથી બહાર નીકળી શકશે અને હજ અદા કરી શકશે, અલબત્ત, હજના અરકાનની અદાયગી સિવાયના વખતમાં વિના ઝરૂરતે મકાનથી બહાર ન નીકળે અને હજ પછી જો ત્યાં જ રહી ઈદ્દત પૂરી કરવી શકય હોય તો ત્યાં રહી ઈદ્દત પૂરી કરીને પાછી ફરે અને જો હજ પછી ત્યાં રહી ઈદ્દત પૂરી કરવી સરકારના કાયદા અથવા એકલી હોવાના કારણે મુશ્કેલ  હોય તો ઘરે પાછી ફરી ઈદ્દત પૂરી કરે.

Log in or Register to save this content for later.