[૩૩] હજ પહેલાં પતિ મકકહમાં વફાત પામે

Chapter : હજ

(Page : 75-76)

સવાલ :– એક ઔરત પોતાના શવહર સાથે હજ પઢવા મકકહ મુકર્રમહમાં પહોંચી ગઈ હવે ત્યાં હજની અદાયગી પહેલાં શવહરનો ઈન્તિકાલ થઈ ગયો તો તેની ઈદ્દતનો શું હુકમ છે? અને તે આ હાલતમાં હજ અદા કરી શકે કે નહિ?

જવાબ :– મજકૂર સૂરતમાં જે મકાન ભાડે રહેવા માટે લીધું હોય તેમાં મવતની ઈદ્દત ચાર મહિના દસ દિવસ ગુજારવી જરૂરી છે અને મોતની ઈદ્દતવાળી ઔરત પોતાની આર્થિક જરૂરત પૂરી કરવા દિવસમાં અને રાતમાં બહાર નીકળી શકે છે પરંતુ રાતનો વધુ ભાગ ઈદ્દતના મકાનમાં ગુજારવો જરૂરી છે. એટલે અસલી હુકમ તો એ જ છે કે જો હજના એહરામમાં હોય તો ઉમરહ કરી હલાલ થઈ જાય અને ઈદ્દત પૂરી કરી આવતા વર્ષ સુધી ત્યાં રહી અથવા ઘરે વાપસ આવી આવતા વર્ષે ફરી કોઈ મહરમ સાથે હજ કરે.

                પરંતુ આ સૂરતમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થશે ત્યાં રહેવામાં પણ અને ફરી હજ માટે જવામાં પણ એટલે જો ઈદ્દતની હાલતમાં એહરામ બાકી રાખી હજના ફર્ઝો અને વાજિબોની અદાયગી સિવાય ઈદ્દતના ઘરમાંથી નીકળવાથી બચવાની પૂરી કાળજી રાખી હજ અદા કરવા ચાહે તો મઅઝૂર સમજવાની ગુંજાઈશ છે.     (શામી–ર/૧૪૬,ર૩૩,૬ર૦)

Log in or Register to save this content for later.