Chapter : હજ
(Page : 71-72)
સવાલ :– હું શિક્ષકની નોકરીમાંથી રિટાયર્ડ થયો છું, પેન્શન વગેરેની એક સાથે મોટી રકમ મળવાના કારણે માલદાર થયો છું, અલબત્ત, મારી પાસે પોતાની માલિકીનું મકાન નથી, તો મારે મકાન બનાવવું કે ફર્ઝ હજ અદા કરવી જોઈએ ?
જવાબઃ– જે વખતે લોકો હજ માટે જાય છે, તે સમયગાળા દરમ્યાન જો મજકૂર પેન્શન વગેરેની મળેલી રકમ તમારી પાસે જમા હોય અને તે હજ ફર્ઝ થવા પાત્ર પ્રમાણમાં હોય તો તમારા ઉપર હજ ફર્ઝ ગણાશે અને મકાન બનાવવાનું મોકૂફ રાખી હજ પઢવા જવું ફર્ઝ ગણાશે. જો લોકોના હજ માટેના જવાના દિવસો શરૂ થતાં પહેલાં મજકૂર રકમ તમે ખર્ચ કરી લીધી, તો હવે હજના દિવસોમાં હજ માટે રકમ ન હોવાથી હજ ફર્ઝ નહીં થાય. (શામી–ર/૧૪૪)
Log in or Register to save this content for later.