Chapter : નમાઝ
(Page : 243)
સવાલ :– અઝાનનો જવાબ આપવાનો શું મતલબ છે ? અને તેનો શું તરીકો છે?
જવાબ :– અઝાનનો જવાબ આપવાના બે મતલબ છે. એક તો એ કે અઝાન સાંભળીને નમાઝની તૈયારી રૂપે મસ્જિદે જવા રવાના થવું અને ગેરમઅઝૂર માણસ માટે અઝાનનો આ પ્રમાણે જવાબ આપવાને ફિકહના અમુક આલિમોએ વાજિબ લખ્યું છે અને બીજો મતલબ એ છે કે મુઅઝ્ઝિન અઝાનના જે જે કલિમાત કહીને ફારિગ થતો જાય સાંભળનાર તે જ કલિમાત કહેતો જાય સિવાય ‘હય્ય અલસ્સલાહ અને ‘હય્ય અલલ્ ફલાહના, કે આ બે વાકયો પછી સાંભળનાર જવાબમાં તે જ શબ્દો ન દોહરાવે, બલ્કે ‘લાહવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ, માશાઅલ્લાહુ કાન અને ફજરની અઝાનમાં ‘અસ્સલાતુ ખય્રુમ્ મિનન્નવ્મના જવાબમાં સાંભળનાર ‘સદક્ત વ બરર્ત કહે અને આ પ્રમાણે અઝાન સાંભળીને જબાનથી જવાબ આપવો મુસ્તહબ છે. (‘શામી ૧/ર૬પ)
Log in or Register to save this content for later.