Chapter : ઝકાત
(Page : 60-61)
સવાલ :– મારી પાસે કેટલીક કંપનીના શેર છે જે ૧૦ રૂપિયાના ભાવે કેટલાક વર્ષો પહેલાં ખરીદેલા જેનો હમણા બજાર ભાવ ૧૦ કરતાં વધારે છે. અર્થાત મેં ર૦૦૦ રૂપિયાના શેર ખરીદેલા જેનો ભાવ ૮૦૦૦ રૂપિયા આવે એમ છે તો મારે ર૦૦૦ ઉપર ઝકાત આપવી કે ૮૦૦૦ ઉપર, શેરના ભાવો વર્ષ દરમિયાન વધઘટ થયા કરે છે.
જવાબ :– કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરતી કંપનીઓ અથવા વસ્તુઓ ખરીદીને વેચાણ કરતી કંપનીઓના શેરોની ઝકાત ખરીદ કિંમતના હિસાબે આપવી દુરૂસ્ત નથી, બલ્કે ઝકાત આપવાના સમયે બજારમાં ચાલતી તે શેરોની કિંમતના હિસાબે ઝકાત આપવામાં આવશે, મતલબ કે તમારા લખવા મુજબ બે હજારના હિસાબે નહિ પરંતુ ૮૦૦૦ના હિસાબે આપવી પડશે. અલબત્ત, શેરની કિંમતનો જેટલો ભાગ કંપનીની મશીનરી – મકાન અને ફર્નિચર વગેરે એવી વસ્તુઓમાં લાગેલો હોય કે જે કંપનીએ વેચવા વસાવેલી નથી બલ્કે કંપની ચલાવવા વસાવેલી છે, તો પોતાના શેરોની તેટલા ભાગની મૂડીની ઝકાત આપવી ઝરૂરી નથી. (શામી –ર/રર, ઈ.ફતાવા–ર/રર/અહકામે ઝકાત)
Log in or Register to save this content for later.