Chapter : નિકાહ
(Page : 47-48)
સવાલઃ– સુન્ની હનફી મસલકમાં નિકાહ કરવાની યોગ્ય રીત કઈ છે?
જવાબઃ– પ્રથમ છોકરીના વકીલથી છોકરી તરફથી ઈજાઝત મેળવ્યાની અને વકીલ બનાવ્યાની તહકીક કરી લે, પછી વકાલતના ગવાહો મવજૂદ હોય તો તેઓને પણ પૂછી લે, બાકી તેઓનું મવજૂદ હોવું કે તેઓને પૂછવું જરૂરી નથી, જો દુલ્હા પોતે મવજૂદ ન હોય તો દુલ્હાના વકીલથી પણ વકાલત બાબત તહકીક કરી લે, તે પછી નિકાહનો ખુત્બો પઢે ખુત્બા પછી છોકરીના વકીલથી ઈજાબ કરાવે કે ”મેંને બહેસિયતે વકીલ ફુલાની બિનતે ફુલાંકો ફુલાં બિન ફુલાં કે નિકાહમેં ઈતની મહરકે એવઝ ઓરત બનાકે દિયા” પછી દુલ્હાથી કબૂલ કરાવે કે ”મેંને ફુલાની બિન્તે ફુલાં કો ઈતની મહર કે એવઝ અપને નિકાહમેં કબૂલ કિયા” જો દુલ્હા પોતે ન હોય બલકે તેનો વકીલ હોય તો તેનાથી આ પ્રમાણે કબૂલ કરાવે કે ”મેંને ફુલાની બિન્તે ફુલાંકો બહેસિયતે વકીલ ફુલાં કે નિકાહ મેં ઈતની મહર કે એવઝ કબૂલ કિયા” આટલી કાર્યવાહીથી નિકાહ મુસ્તહબ તરીકા મુજબ થઈ જશે. (શામી :ર)
Log in or Register to save this content for later.