[૧૮પ] ફજર તુલૂઅથી કેટલા વખત પહેલાં પઢવી?

Chapter : નમાઝ

(Page : 225)

સવાલ :– હમારે ત્યાં ફજરની જમાઅત હાલમાં ૬–૧૦ વાગ્યે થાય છે. ઈમામ સાહેબને નમાઝ પુરી કરતા ૧૦ થી ૧ર મિનિટનો ટાઈમ લાગે છે, જયારે તુલૂએ આફતાબનો સમય ૬–ર૮ મિનિટ છે. તો નમાઝ પુરી થયા પછી વચ્ચેનો ટાઈમ ફકત ૬ થી ૮ મિનિટનો રહે છે, તો મારો કહેવાનો હેતુ એ છે કે હું જયારે મકતબમાં પઢતો હતો ત્યારે હમારા ઉસ્તાદે પઢાવ્યુ હતું કે ફજરનો મુસ્તહબ વખત આ પ્રમાણે છે કે ફજરની જમાઅત પૂરી થયા પછી એટલો વખત બાકી રહી જાય કે કોઈ કારણ સર નમાઝ ફાસિદ થઈ ગઈ હોય તો બીજા વખતે સુન્નત પ્રમાણે ફજરની નમાઝ જમાઅત સાથે પઢી શકાય એટલો વખત બાકી રહે.

                તો મારું મંતવ્ય એ છે કે જયારે તુલૂએ આફતાબને ફકત ૭ થી ૮ મિનિટ બાકી રહે તો તિવાલે મુફસ્સલ જે સુરતો મસ્નૂન છે એટલા વખતમાં પઢી શકાતી નથી, તો આપ આ મસ્અલામાં શું કહો છો ? જમાઅત થઈ ગયા પછી ઓછામાં ઓછો કેટલો વખત હોવો જોઈએ?

જવાબ :– ફજરની નમાઝ સુન્નત કિરાઅત સાથે અને રૂકૂઅ, સજદહ, કવમહ, જલ્સહની સુન્નતો સાથે પઢી તુલૂએ આફતાબથી એટલા પહેલાં ફારિગ થઈ જવું જોઈએ કે જો ફરીવાર તહારત હાસિલ કરી મસ્નૂન કિરાઅત સાથે મસ્નૂન તરીકાથી ફજરની નમાઝ કોઈ કારણસર પઢવી પડે તો પઢી શકાય, અને આ માટે તુલૂએ આફતાબથી લગભગ વીસથી પચ્ચીસ મિનિટ પેહલાં પૂરી થઈ જાય, એ રીતે વખત નકકી કરવો એ મુસ્તહબ છે.                                        (શામી – ૧ / ર૪પ)

Log in or Register to save this content for later.