[૧૭] નિકાહનો સુન્નંત તરીકો

Chapter : નિકાહ

(Page : 47)

સવાલઃ– નિકાહનો સુન્‍નત તરીકો શું છે ?

જવાબઃ– નિકાહ માટેનો સુન્‍નત તરીકો આ પ્રમાણે છે કે જુમ્અહનો દિવસ નક્કી કરવામાં આવે, નિકાહનું એલાન કરવામાં આવે, મસ્જિદમાં નિકાહખ્વાની રાખવામાં આવે, કોઈ આલિમના હાથે નિકાહ પઢવામાં આવે જે સહીહ તરીકાથી ખુત્બો પઢીને નિકાહ પઢાવે, બની શકે તો નિકાહમાં મહરે ફાતમી એટલે ૧૩૧ તોલા, ત્રણ માશા ચાંદી નકકી કરવામાં આવે, જો તે માટે પોતે શકિતમાન ન હોય તો (તોલાના જૂના વજન પ્રમાણે) પોણા ત્રણ તોલા ચાંદી (૩૧ ગ્રામ) અથવા તેની રોકડ રકમથી ઓછી મહેર ન રાખવામાં આવે, રૂખ્સતી થઈ ગયા પછી બીજા દિવસે વલીમો રાખવામાં આવે, જેમાં રિશ્તેદારો, દોસ્તો અને ગરીબોને દઅવત આપવામાં આવે.                                          (શામી – ભા. ર)

Log in or Register to save this content for later.