[૧૬] માલદાર વિધવા પર ઝકાત ફર્ઝ છે

Chapter : ઝકાત

(Page : 59-60)

સવાલ :– એક બેવા ઓરત છે તેણીને કોઈ અવલાદ નથી, મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, લોકોએ તેણીને ઝકાત ખૈરાત આપી, જેથી તેની પાસે પાંચ હજાર રૂપિયા બેંકમાં ફિકસ ડીપોઝિટમાં જમા છે હવે આ ઓરતે વર્ષ પૂરું થયે ઝકાત આપવી પડશે ? અને આપણે ન આપીએ તો ઓરત ઝકાત આપવાની હકદાર છે કે કેમ ? ત્થા આ ઓરત ઝકાત લઈ શકે કે કેમ?

જવાબ :– આજકાલ ચાંદીના ભાવ મુજબ પાંચ હજાર રૂપિયા ધરાવતી ઓરત ઝકાતના નિસાબની માલિક બની જાય છે. જો તેના શિરે કોઈ દેવું ન હોય તો તે શરઈ દ્રષ્ટિએ માલદાર છે. તેણે પોતે પાંચ હજાર રૂપિયાની ઝકાત આપવી ઝરૂરી છે અને સદકએ ફિત્ર અને કુરબાની આપવી પણ વાજિબ છે અને બીજાઓ પાસેથી ઝકાત લેવી તેના માટે હરામ છે અને માલદાર માણસે તે ઓરતને ઝકાત આપવી જાઈઝ નથી, જો તેને ઝકાત આપશે તો ઝકાત અદા નહિ થાય. (શામી – ર)

Log in or Register to save this content for later.