Chapter : ઝકાત
(Page : 58-59)
સવાલ :– મારી મહિનાની આવક રૂા ૧૭૦૦/– છે અને મારી પાસે એટલે કે મારી વાઈફ પાસે સાડા સાત તોલા સોનું પણ છે તો મારા ઉપર ઝકાત વાજિબ થશે કે પછી મહિનાના અંતમાં જે પૈસા બેલેન્સમાં રહે છે તેના ઉપર લાગશે?
જવાબ :– જયારથી તમારી પાસે એટલું બેલેન્સ થઈ જાય કે તમો શરઈ દ્રષ્ટિએ સાહિબે નિસાબ થઈ જાઓ (એટલે કે ચાલુ બજાર ભાવ મુજબ સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર તમારી પાસે રોકડ બેલેન્સ થઈ જાય) ત્યારથી લઈ ઈસ્લામી તારીખ મુજબ વર્ષ પૂરું થવાના સમયે તમારી પાસે નિસાબના પ્રમાણમાં અથવા તેથી વધુ જેટલું બેલેન્સ હોય તેટલી રકમની ઝકાત આપવી તમારા માટે ઝરૂરી છે. સાહિબે નિસાબ માલદાર થવાના દિવસથી લઈ વર્ષના અંત સુધીમાં તમારી માસિક આવકમાંથી જે રકમ તમોએ ખર્ચ કરી નાખી છે તે રકમની ઝકાત ઝરૂરી નથી. એવી જ રીતે ઓરતની માલિકીનું સોનું તમારા નિસાબમાં નહિ ગણાય અને તેની ઝકાત તમોએ અદા કરવી ઝરૂરી નથી, ઓરતના શિરે ઝરૂરી છે. (શામી ભા–ર)
Log in or Register to save this content for later.