Chapter : નમાઝ
(Page : 297)
સવાલ :– હનફી મઝહબમાં નમાઝની નિય્યત ઝબાનથી કરવું બિદઅત છે? જો બિદઅત હોય તો પછી નમાઝની નિય્યત કેવી રીતે થશે ?
જવાબ :– નમાઝ માટે જે નમાઝ પઢવાની હોય તેની નિય્યત કરવી શર્ત અને ફર્ઝ છે. નિય્યત વગર નમાઝ જાઈઝ અને દુરૂસ્ત થતી નથી, અને નિય્યત દિલમાં પાકો ઈરાદો કરવાનું નામ છે. નિય્યતનો સંબંધ દિલથી છે, ઝુબાનથી નથી. ઝુબાનથી નિય્યત કરવી હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.), સહાબાએ કિરામ, તાબિઈને ઈઝામ, અઈમ્મએ મુજતહિદીન (રદિ.)થી સાબિત નથી. પરંતુ પૂરા ધ્યાન સાથે પાકી નિય્યત કરવા માટે ઝુબાનથી પણ નિય્યત કરવામાં આવે તો એ જાઈઝ છે. અને મજકૂર હેતુ માટે ઈચ્છનીય છે. ઝુબાનથી નિય્યત કરવાને નાજાઈઝ અને બિદઅત નહિં કહેવાય. (શામી ભાગ –૧ / ર૭૮)
Log in or Register to save this content for later.