Chapter : નમાઝ
(Page : 299)
સવાલ :– શરીઅતમાં બચ્ચુ પેદા થવાની ઘડી સુધી નમાઝ અદા કરી લેવાનો જે હુકમ છે, તો બચ્ચાની તકલીફ વખતે અગાઉ પાણી પડે છે. એવી હાલતમાં નમાઝ પઢી શકાય કે નહિ? વુઝૂ બનાવીને નમાઝ અદા કરતા સુધીમાં અથવા નમાઝ પઢવાની હાલતમાં બે–ત્રણ ટીપાં પડી જાય તો નમાઝ પૂરી કરી લેવી યા કઝા કરવી પડશે.
જવાબ :– જો એકવાર આવી હાલત કોઈ ફર્ઝ નમાઝના શરૂ વખતથી આખરી વખત સુધી રહે તો તે ઔરત મઅઝૂર છે આવી હાલતમાં તેણીએ પઢેલી નમાઝ દુરૂસ્ત ગણાશે. અને તેણીએ મઅઝૂર હોવાની હાલતમાં આ પ્રમાણે પઢેલી નમાઝ કઝા નહિ કરવી પડે. (શામી –૧/૧૯૯)
Log in or Register to save this content for later.