Chapter : નમાઝ
(Page : 288)
સવાલ :– જંબુસર સ્ટેશન પાસે એક મસ્જિદ બનાવવાનો વિચાર છે, સાથે બીજા મકાનો પણ બનાવવામાં આવશે. હવે મસ્જિદનો પ્લાન અને ભવિષ્યમાં મકાનો બાંધવાનો જે પ્લાન છે તે મુજબ બાંધકામ કરવામાં મસ્જિદને કિબ્લારૂખ કરવામાં લગભગ ૧પ ડિગ્રી ફરક પડે છે તો હવે મસ્જિદ ૧પ ડિગ્રીનો ફરક રાખી બાંધીએ તો શરીઅતમાં કોઈ વાંધો આવશે? અને કિબ્લારૂખ મસ્જિદ બાંધવામાં વધુમાં વધુ કેટલી ડિગ્રી ફરક હોય તો ચાલી શકે ?
જવાબ :– નવી મસ્જિદના બાંધકામમાં કિબ્લાની લાઈન નક્કી કરવામાં અસલ હુકમ તો એ છે કે તે શહેર કે ગામડાની જૂનામાં જૂની મસ્જિદ પ્રમાણે બનાવવામાં આવે. જો દિશા સૂચક યંત્રનો ઉપયોગ કરી લાઈન બનાવવામાં આવે તો બેહતર તો એ જ છે કે કિબ્લાની દિવાર ઉત્તર કે દક્ષિણ દિશામાંથી કોઈ એક તરફ આગળ અને બીજી તરફ પાછળ બનાવવામાં ન આવે કે જેથી કિબ્લારૂખ નમાઝ પઢવામાં થોડો પણ તફાવત પડે અને ખાસ કરી ફક્ત પ્લાન મુજબ લાઈન સીધી કરવા માટે હંમેશા આટલા ફેરફારથી નમાઝ પઢવી પડે એમ ન કરવામાં આવે, મસ્જિદના કિબ્લા સાથે નમાઝ જેવી ઈબાદતનો સંબંધ છે, જ્યારે લાઈન સીધી કરવા માટે ફેરફાર રાખવામાં ફક્ત નકશા મુજબના બાંધકામનો હેતુ પૂરો થાય છે.
બાકી જો કિબ્લાની દિવાર એટલી ત્રાંસી બનાવવામાં આવી કે જેથી તેની સીધમાં નમાઝ પઢનારને કિબ્લાની ખરી લાઈનથી જમણી– ડાબી બાજુમાંથી કોઈ એક તરફ ર૪ ડિગ્રી ત્રાંસુ ઉભું રહેવું પડે તો નમાઝ તો વગર કરાહતે જાઈઝ થઈ જશે અને (અહવત) એહતિયાતવાળા મત મુજબ ફેરફારનું છેલ્લું પ્રમાણ ર૪ ડિગ્રી છે એથી વધુ ત્રાંસ ન હોવો જોઈએ. (શામી : ર૮૮/૧, અલ બહ્ર : ર૮પ,ભા–૧, જિ. ફિકહ : ર૬૭/ર૪૩, ભાગ–૧, ઈ. ફતાવા : ર૧૯/૧)
Log in or Register to save this content for later.