[ર૪૬] મુસાફિરના મુકીમ ઈમામની ઈશા ફાસિદ થઈ જાય તો

Chapter : નમાઝ

(Page : 285)

સવાલ :– અગર કોઈ મુકીમ ઈમામ પાછળ મુસાફિર મુક્તદીઓ ઈશાની નમાઝ પઢતા હતા અને ઈમામે નમાઝમાં કોઈ એવી ગલતી કરી હતી કે જેનાથી નમાઝ ફાસિદ થઈ ગઈ હતી અને નમાઝ ફરીવાર પઢવાની થઈ તો મુસાફિર મુક્તદીઓએ ફરીવાર ઈશાની નમાઝની ચાર રકઆત પઢવી પઢશે અથવા બે રકઆત પઢવી પડશે ?

જવાબ :– જો મુસાફિર મુક્તદીઓ ફાસિદ થયેલી ઈશાની નમાઝ ફરીવાર મુકીમ ઈમામની પાછળ પઢે તો તેમણે ઈમામની જેમ ચાર રકઆત પઢવી પડશે અને જો મજકૂર નમાઝ ફરીવાર મુસાફિર ઈમામની પાછળ પઢે અથવા એકલા પઢે તો બે રકઆત પઢવી પડશે. (શામી ૧/પ૩૧)

Log in or Register to save this content for later.