Chapter : નમાઝ
(Page : 283)
સવાલ : કઅ્દહ અને સજદહમાં પગની પાંચે પાંચ આંગળીઓ કિબ્લારુખ હોવી જરૂરી છે ?
જવાબ : કઅ્દહમાં જમણો પગ સીધો ઉભો રાખવો અને તેની આંગળીઓ કિબ્લા તરફ વાળેલી રાખવી સુન્નત છે. ડાબો પગ બીછાવી તેના ઉપર બેસવામાં તેની આંગળીઓનું રુખ જમણા પગ તરફ રહે અને કિબ્લા તરફ વાળવામાં તકલીફ થવાના કારણે વાળવામાં ન આવે તો વાંધો નથી, બાકી શક્ય તેટલી કિબ્લા તરફ વાળવાની કોશિશ કરવી જોઈએ અને જમણા પગની આંગળીઓને કિબ્લારુખ ન રાખવી એ મકરૂહ છે. (દુ. મુખ્તાર, શામી ૧/૩૪૧, કબીરી ૩૮ર તહ્તાવી ૧૯૪)
સજદહમાં બન્ને પગોની પૂરી આંગળીઓ કિબ્લારુખ રાખવી સુન્નત છે અને પગોનું જમીનથી બિલકુલ અલગ રહેવું કે એક આંગળી પણ જમીન પર લાગેલી ન રહે એ નાજાઈઝ છે. જો ત્રણ વાર સુબ્હાનલ્લાહ પઢી શકાય એટલીવાર બન્ને પગો પૂરેપૂરા જમીનથી અલગ રહેશે તો નમાઝ ફાસિદ થઈ જશે અને જો અમુક આંગળીઓ જમીનથી લાગેલી અને અમુક આંગળીઓ જમીનથી અલગ અને ઉઠેલી રહેશે તો નમાઝ મકરૂહ થશે, એવી જ રીતે જો બધી આંગળીઓ જમીનથી લાગેલી હશે, પરંતુ કિબ્લારુખ નહિં હોય તો પણ નમાઝ મકરૂહ થશે. (શામી ૧/૩૦૦/૩૩પ/૩૩૯, કબીરી ર૮૪, તહતાવી ૧ર૬)
Log in or Register to save this content for later.