Chapter : નમાઝ
(Page : 277-278-279-280)
સવાલ :–(૩) જે નમાઝીએ સજદહની હાલતમાં બંને પગ જમીન પર ન મૂકયા, બલકે બંને પગમાંથી થોડો ભાગ જમીન પર મૂકયો અને એક પગ અથવા એક પગથી વધુ ભાગ પૂરા સજદહમાં જમીનથી ઉઠાવેલો રાખ્યો અથવા બંને પગ જમીન પર મૂકયા પછી તેનો અમુક ભાગ જમીનથી ઉઠાવી લીધો અને આ પ્રમાણે પગ ઉઠાવ્યા પછી ઉઠાવેલો ભાગ જમીન પર મૂકયો અથવા ન મૂકયો તો આવા નમાઝીની નમાઝનો શું હુકમ છે ?
જવાબ :–(૩) આથી પહેલાં એ વિગત લખાય ચૂકી છે કે સજદહની હાલતમાં બંને પગોમાંથી કોઈ પણ એક પગનો થોડો ભાગ ચાહે તે એક આંગળી જ હોય, તેનું જમીન પર મૂકવું ફર્ઝ છે અને પૂરા સજદહમાં બંને પગો જમીન પર મૂકવા એ વાજિબ છે.
હદીસ શરીફની અનેક કિતાબોમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું આ ફરમાન નકલ છે કે,
‘મને (બારી તઆલા તરફથી) એ વાતનો હુકમ આપવામાં આવ્યો છે કે હું સાત અંગો ઉપર સજદહ કરું (એટલે કે આ સાત અંગો જમીન ઉપર મૂકીને સજદહ કરું) ચહેરો, બંને હાથ, બંને ઘૂંટણ અને બંને પગ. (‘બદાઈઅ ૧/ર૮૩)
પૂછેલી સૂરતમાં પૂરા સજદહમાં કોઈ એક પગનો થોડો ભાગ જમીન પર મૂકવાથી સજદહનો ફર્ઝ તો અદા થઈ જશે, પરંતુ પૂરા સજદહમાં બંને પગ જમીન પર ન મૂકવાથી સજદહનો વાજિબ અદા થયેલો નહિ ગણાય અને નમાઝના સજદહનો વાજિબ છૂટવાના કારણે નમાઝ મકરૂહે તહરીમી અને અધૂરી ગણાશે. (‘શામી ર/ર૦૪–ઝક. / ‘બહર ૧/૩૧૮)
હઝરત મૌલાના સય્યિદ ઝવ્વાર હુસૈન શાહ સાહેબ નકશબંદી મુજદ્દિદી (રહ.) પોતાની વિશ્વાસપાત્ર કિતાબ ‘ઉમ્દતુલ ફિકહમાં સજદહમાં પગ જમીન પર મૂકવા બાબત લખે છે કે :–
(૧૮) અગર સજદહ કિયા ઓર દોનોં પાઉં જમીન પર ન રખ્ખે તો જાઈઝ નહીં ઓર અગર એક પાઉં રખ્ખા તો અગર ઉઝર કે સાથ હો તો બિલા કરાહત જાઈઝ હૈ ઓર બગેર ઉઝર હો તો કરાહત કે સાથ જાઈઝ હે, પાઉંકા રખના ઉંગલિયોં કે રખને સે હોતા હે અગર ચે એક હી ઉંગલી હો અગર દોનોં પાઉંકી ઉંગલિયોંકી પીઠ રખ્ખી ઓર ઉંગલિયાં ન રખ્ખી તબ ભી સજદહ જાઈઝ હે, યે હી કૌલ સહીહ હે. (ર/૯પ)
હઝરત મૌલાના મુફતી મુહમ્મદ યૂસુફ લુધયાનવી (રહ.)ના મકબૂલ અને મશહૂર ફતાવા સંગ્રહમાં આ મસ્અલહ બાબત એક સવાલ અને આપનો સ્પષ્ટ અને ખુલાસાવાર જવાબ નીચે મુજબ છે.
સવાલ : મેં ને નમાઝકી હાલતે સજદહમેં લોગોંકો દેખા હે કે વો અપના સીધા પાઉં ઝમીનસે ઉઠા લેતે હેં ઓર મેંને મસ્જિદકે ઈમામ સાહબસે યેહ મસ્અલહ મઅલૂમ કિયા તો વહ કહને લગે કે નમાઝ પળ્હને કી હાલતમેં સજદહ કરતે વકત પાઉં કો પૂરી તરહ ઉઠાનેસે નમાઝ ફાસિદ હો જાતી હે, મેંને લોગોંકી નમાઝ ફાસિદ હોને સે બચાનેકે લિયે આપસે યેહ મસ્અલહ પૂછા હૈ ?
જવાબ : સજદહકી હાલતમેં દોનોં પાઉંકી ઉંગલિયાં કિબ્લહ કી તરફ મુતવજિજહ કરના સુન્નત હે, દોનોં પાઉં ઝમીનસે લગાના વાજિબ હે ઓર બિલા ઉઝર એક પાઉંકા ઉઠાએ રખના મકરૂહે તહરીમી હેં ઓર દોનોંમેંસે એક પાઉંકા કુછ હિસ્સા ઝમીનસે લગાના ફર્ઝ હે, ખ્વાહ એક હી ઉંગલી લગાઈ જાએ, (તો ભી) ફર્ઝ અદા હો જાએગા ઓર અગર દોનોં પાઉં ઝમીનસે ઉઠાએ ઓર તીન બાર સુબ્હાનલ્લાહ કહનેકી મિકદાર ઉઠાએ રખ્ખે તો નમાઝ ફાસિદ હો જાએગી, ઉંગલી ઝમીનસે લગનેકી શર્ત યેહ હે કે ફકત નાખૂન ઝમીનસે ન છૂએ બલકે ઉંગલી કે સિરેકા ગોશ્ત ભી ઝમીનસે છૂ જાએ, યઅની ઉંગલી ઝમીન પર મૂળ જાએ. (‘આપકે મસાઈલ ર/૩૧પ,૩૧૬)
અને આ વાત પણ યાદ રાખવી જોઈએ કે જે નમાઝ વાજિબ છૂટવાના કારણે મકરૂહે તહરીમી અને અધૂરી અદા થાય છે, એવી નમાઝનો ઈઆદહ કરવાને (દોહરાવવાને) ફુકહાએ કિરામ વાજિબ લખે છે. (‘શામી ર/૧૪૭ ઝક.)
માટે જો સજદહની હાલતમાં બંને પગ જમીન પર ન મૂકયા બલ્કે એક પગ જમીન પર મૂકયો અને બીજો પગ સદંતર જમીન પર ન મૂકયો અથવા બંને પગ જમીન પર મૂકયા પછી એક પગ જમીનથી ઉઠાવી લીધો અને ત્રણવાર સુબ્હાનલ્લાહ કહી શકાય એટલીવાર એક પગ જમીનથી ઈરાદાપૂર્વક ઉઠાવેલો રાખ્યો તો એક રુકનના પ્રમાણમાં વાજિબ છૂટવાના કારણે અને નમાઝ મકરૂહે તહરીમી અને નાકિસ રૂપમાં અદા થવાના કારણે નમાઝનો ઈઆદહ કરવો વાજિબ થશે.
જેવી રીતે કે જહરી નમાઝમાં જોરથી કિરાઅત પઢવી અને સિર્રી નમાઝમાં આહિસ્તા કિરાઅત કરવી વાજિબ છે. જો કોઈ ઈમામ ભૂલથી જહરી નમાઝમાં એટલી કિરાઅત આહિસ્તા પઢે કે જેટલી કિરાઅત પઢવાથી નમાઝ જાઈઝ થઈ જાય અને ફર્ઝ કિરાઅત અદા થઈ જાય અથવા સિર્રી નમાઝમાં એટલા પ્રમાણમાં જોરથી કિરાઅત પઢે તો આ સૂરતોમાં તેણે સજદએ સહવ કરવો વાજિબ છે અને ઈરાદાપૂર્વક આવું કરે તો નમાઝનો ઈઆદહ જ વાજિબ ગણાશે, કારણકે આટલા પ્રમાણમાં ઈમામે આહિસ્તા અથવા જોરથી કિરાઅત કરવાથી ઈમામની કિરાઅતનો એક વાજિબ છૂટી જાય છે.(‘શામી ર/પ૪પ ઝક.)
એવી જ રીતે એક રુકનના પ્રમાણમાં (ત્રણવાર સુબ્હાનલ્લાહ પઢવાના પ્રમાણમાં) નમાઝના સજદહનો એક વાજિબ ભૂલથી છૂટવાથી સજદએ સહવ વાજિબ થશે અને ઈરાદાપૂર્વક છૂટવાથી નમાઝનો ઈઆદહ વાજિબ થશે.
અને જો ત્રણવાર સુબ્હાનલ્લાહ કહી શકાય એટલી વાર એક પગ જમીનથી ઉઠાવેલો ન રાખ્યો, બલ્કે ઉઠાવ્યા પછી એટલી વાર પહેલાં પગ જમીન પર મૂકી દીધો તો આ સૂરતમાં પણ નમાઝ મકરૂહ તો થશે, પણ ઈઆદહ વાજિબ નહિ ગણાય.
Log in or Register to save this content for later.