[ર૪૦] સજદહમાં બંને પગ પૂરેપૂરા જમીનથી ઉઠી જવાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 274-275-276)

સવાલ :–(ર) જે નમાઝીએ સજદહની હાલતમાં શરૂઆતથી અંત સુધી બંને પગ જમીનથી ઉંચા અને ઉઠાવેલા રાખ્યા અને કોઈ એક પગનો થોડો ભાગ પણ સજદહ પૂરો કરતાં સુધી જમીન પર ન મૂકયો તો તેની નમાઝનો શું હુકમ છે ? અને જે નમાઝીએ સજદહની હાલતમાં પગ જમીન પર મૂકયા અને પછી સજદહ પૂરો કરતાં પહેલાં બંને પગ જમીનથી ઉઠાવી લીધા, કોઈ પગનો થોડો ભાગ પણ જમીન પર મૂકેલો ન રહેવા દીધો અને થોડીવાર બંને પગ જમીનથી ઉઠાવેલા રાખ્યા પછી જમીન પર મૂકી આપ્યા અથવા ઉઠાવ્યા પછી જમીન પર ન મૂકયા, તો તેની નમાઝનો શું હુકમ છે ?

જવાબ :–(ર) જો સજદહની હાલતમાં શરૂઆતથી અંત સુધી બંને પગ પૂરેપૂરા જમીનથી ઉંચા અને ઉઠાવેલા રાખ્યા તો તેનો સજદહ સહીહ અને અદા થયેલો નહિ ગણાય અને સજદહ અદા ન થવાથી તે નમાઝ ફાસિદ ગણાશે. જો ફર્ઝ નમાઝમાં આવું થયું હશે તો તેનો ઈઆદહ કરવો (તે નમાઝ ફરી પઢવી) ફર્ઝ છે અને જો વાજિબ, સુન્નત અથવા નફલ નમાઝમાં આવું થયું હોય તો તેનો ઈઆદહ કરવો વાજિબ છે.

                જો સજદહની હાલતમાં પગ જમીન પર મૂકયા પછી બંને પગ પૂરેપૂરા જમીનથી ઉઠાવી લીધા અને થોડો ભાગ પણ જમીન પર ન રહેવા દીધો અને આ પ્રમાણે ત્રણવાર સુબ્હાનલ્લાહ કહેવાના પ્રમાણમાં ઉઠાવેલા રાખ્યા તો પણ સજદહ અને નમાઝ ફાસિદ થયેલા ગણાશે અને ઉપર મુજબ નમાઝ ફરીવાર પઢવી પડશે, ચાહે આ પ્રમાણે આટલીવાર પગ ઉઠાવ્યા પછ ફરીવાર જમીન પર મૂકયા હોય કે ન મૂકયા હોય.

(‘બહર ૧/૩૧૮, ‘ફત્હુલ્‌ કદીર ૧/ર૬પ, ‘જવ્‌હરહ પર)

                જેવી રીતે નમાઝનો દરેક રુકન સહીહ અને જાઈઝ તરીકાથી અદા થવા માટે સતરે અવરત (સતર છૂપાવવું) ફર્ઝ અને શર્ત છે, જો નમાઝ પઢતાં પઢતાં સતર ખુલી જાય અને એક રુકનની અદાયગીના વખત બરાબર એટલે કે ત્રણવાર સુબ્હાનલ્લાહ પઢી શકાય એટલીવાર ખુલ્લું રહે તો નમાઝ ફાસિદ થઈ જાય છે.(‘કબીરી ર૧પ, ‘શામી ર/૮૧,૮ર ઝક.)

                એવી જ રીતે સજદહ, જે નમાઝના અરકાન અને ફરાઈઝમાંથી એક રુકન અને ફર્ઝ છે તેના સહીહ અને જાઈઝ થવા માટે કોઈ પણ એક પગનો અમુક ભાગ જમીન પર મૂકવો ફર્ઝ અને શર્ત છે. જો સજદહની હાલતમાં તે ફર્ઝ અને શર્ત એક રુકનની અદાયગીના વખત બરાબર એટલે કે ત્રણવાર સુબ્હાનલ્લાહ પઢી શકાય એટલીવાર ખત્મ થઈ જાય એટલે કે બંને પગ પૂરેપૂરા ત્રણવાર સુબ્હાનલ્લાહ પઢી શકાય એટલીવાર જમીનથી ઉઠેલા રહે તો સજદહ ફાસિદ થઈ જવાથી નમાઝ ફાસિદ થઈ જશે.

                અલબત્ત જો સજદહની હાલતમાં બંને પગ પૂરેપૂરા ત્રણવાર સુબ્હાનલ્લાહના પ્રમાણમાં નથી ઉઠયા, બલ્કે તેથી ઓછા પ્રમાણમાં ઉઠેલા રહ્યા છે તો સજદહ અને નમાઝ ફાસિદ થયેલા નહિ ગણાય.

                સજદહની હાલતમાં બંને પગ પૂરેપૂરા જમીન પરથી ઉઠી જવાથી નમાઝ ફાસિદ થઈ જાય છે એ વિશે અત્રે હઝરત અકાબિર મુફતિયાને કિરામના ફતાવા રજૂ કરવામાં આવે છે.

                હઝરત મૌલાના મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.) આવા એક સવાલના જવાબમાં લખે છે કે,

જવાબ : સજદેકી હાલતમેં દોનોં પાઉં જમીનસે ઉઠા દેને સે નમાઝ નહીં હોતી.

                                હઝરત મૌલાના અબ્દુલ હય લખનવી (રહ.) આ પ્રમાણેના એક સવાલના જવાબમાં લખે છે કે,

જવાબ : અગર દોનોં પાઉં ઝમીનસે ઉઠા લિયેં તો નમાઝ ફાસિદ હોગી ઓર અગર એક ઉઠાયા તો નમાઝ મકરૂહ હોગી, આલમગીરી મેં હેં…  (‘મજ. ફતાવા ૧/૧૯૬)

                ફકીહુલ ઉમ્મત હઝરત મૌલાના મુફતી મહમૂદ હસન ગંગોહી (રહ.)ના ફતાવામાં છે :–

સવાલ : સજદહકી હાલતમેં પાઉંકી ઉંગલિયાં ઝમીન પર લગાના ઝરૂરી હે યા નહીં ઓર અગર પાઉં ઉઠ ગએ તો નમાઝ ફાસિદ હો જાએગી યા નહીં ?

જવાબ : સજદહમેં પેર કી કિસી ઉંગલીકા ઝમીનસે લગા રહેના જરૂરી હે, અગર દોનોં પેર ઈસ તરહ ઝમીનસે ઉઠે રહે કે કિસી ઉંગલીકા કોઈ હિસ્સા ભી ઝમીનસે લગા હુવા નહીં રહા ઓર તીન તસ્બીહકી મિકદાર યેહી કૈફિય્યત રહી તો નમાઝ દુરૂસ્ત નહીં હોગી, સજદએ સહવ ભી ઈસકે લિયે કાફી નહીં, (રદ્દુલ મુહતાર જિ. ૧/૪૧૬.) (‘ફતાવા મહમૂદિય્યહ ર/ર૦પ)

                હઝરત મુફતી સાહેબ (રહ.)ના ફતાવામાં બીજી એક જગ્યાએ આ વિશે નીચે મુજબ એક સવાલ–જવાબ છે :–

સવાલ : નમાઝ પળ્હતે વકત અગર સજદહમેં દોનોં પાઉં ઝમીનસે ઉઠ જાએં તો નમાઝ ફાસિદ હો જાતી હે કે નહીં ? હવાલએ કુતુબ વ સફહાત કા હોના ઝરૂરી હે ઓર ઈસ મસ્અલહમેં કિસી ફકીહ કી નઝરે ફિકહી ભી ઝરૂર દર્જ ફરમાએં. ફકત

જવાબ : ઐસા કરનેસે સજદહ સહીહ નહીં હોગા ઓર જબ સજદહ સહીહ ન હો (તો) નમાઝ સહીહ ન હોગી.

(‘ગુન્યહ ર૮૦, ‘જવહરહ પર, ‘ફત્હુલ્‌ કદીર ૧/ર૧ર)

                યે હુકમ ઉસ વકત હે જબ કે દોનોં પેર ઉઠાનેકી મિકદાર એક રુકનકી અદાયગી તક પહોંચ જાએ.

                ( આ જવાબમાં મજકૂર હવાલાવાળી કિતાબોમાંથી દરેક કિતાબની અરબી ઈબારત પણ ફતાવા મહમૂદિય્યહમાં નકલ છે.) (‘ફતાવા મહમૂદિય્યહ ૧૦/ર૬૯,ર૭૦)

Log in or Register to save this content for later.