[ર૪ર] સજદહમાં પગની આંગળીઓ કિબ્લારૂખ ન રાખવાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 281)

સવાલ :–(૪) જે નમાઝીએ સજદહની હાલતમાં બંને પગ તો જમીન પર મૂકયા, પરંતુ પગની આંગળીઓ કિબ્લા તરફ ન કરી બલ્કે સીધી રાખીને જમીન પર મૂકી અથવા કિબ્લાથી ઉલટી દિશામાં પાછલી તરફ વાળેલી રાખી તો આ સૂરતમાં નમાઝનો શું હુકમ છે ?

જવાબ :–(૪) સજદહની હાલતમાં બંને પગની આંગળીઓ કિબ્લા તરફ રાખવી એ સુન્નત છે, કોઈ કારણ વગર આ સુન્નત છોડવી અને પગની આંગળીઓ કિબ્લા તરફ કર્યા વિના સીધી રાખવી અથવા કિબ્લાથી ઉલટી તરફ રાખવી એ મકરૂહ છે, પરંતુ આ કરાહતના કારણે નમાઝનો ઈઆદહ વાજિબ નથી. (‘બહર ૧/૩ર૧,‘શામી ભા–ર/ર૧૦ ઝક.)

                સામાન્ય રીતે આ સુન્નત પ્રત્યે ગફલત વર્તાય છે, માટે સજદહની હાલતમાં સુન્નત તરીકા મુજબ કિબ્લા તરફ આંગળીઓ વાળવાની કોશિષ કરવી જોઈએ અને તે તરફ ધ્યાન આપી સુન્નત તરીકા મુજબ નમાઝ પઢવાની કાળજી અને ફિકર રાખવી જોઈએ.

                હઝરત મૌલાના મુફતી સય્યિદ અબ્દુર્રહીમ લાજપૂરી સાહેબ (દા.બ.) આ મસ્અલા બાબત એક સવાલનો જવાબ ‘શામી અને ‘મજાલિસુલ અબરારના હવાલાથી નીચે મુજબ લખે છે.

જવાબ : – સજદહમેં ફકત પેરકા અંગૂઠા ઝમીન પર રખ્ખા રેહનેસે નમાઝ હો જાએગી મગર સિર્ફ અંગૂઠા રખને પર ઈકતિફા કરના ઓર દૂસરી ઉંગલિયોંકો ઉઠાએ રખના ખિલાફે સુન્નત હે, ઈસ લિયે મકરૂહ હે, સુન્નત યેહ હે કે દોનોં કદમોં કી ઉંગલિયાં ઝમીન પર લગી રહેં ઓર ઉંગલિયોંકા રુખ કિબ્લાકી જાનિબ હો.   (‘ફતાવા રહીમિય્યહ ૪/૩૦૪)

Log in or Register to save this content for later.