Chapter : નમાઝ
(Page : 284)
સવાલ :– એક મુક્તદીએ ઈમામ સા.ની સલામ સાથે પહેલાં ડાબી તરફ સલામ ફેરવી અને બીજો માણસ ફક્ત સલામના શબ્દો બોલ્યો અને જમણી–ડાબી બાજુ મોઢું ન ફેરવ્યું તો આ બન્નેવ મુક્તદીઓની નમાઝ થશે કે નહિ ?
જવાબ :– મુક્તદી નમાઝીએ ઈમામની જેમ સલામના શબ્દો બોલવા વાજિબ છે અને બન્ને સલામના શબ્દો બોલતી વખતે પહેલાં જમણી તરફ અને પછી ડાબી તરફ મોઢું ફેરવવું સુન્નત છે, માટે પૂછેલી સૂરતમાં બન્નેવ મુક્તદીઓની નમાઝ તો દુરુસ્ત અને અદા થઈ ગઈ છે, કારણ કે માત્ર એક સુન્નત છૂટી છે, ચાહે ઈરાદાપૂર્વક આવું કર્યું હોય કે ભૂલથી આવું થઈ ગયું હોય. અલબત્ત, ઈરાદાપૂર્વક આવું કરવાથી સુન્નત છોડવાના કારણે ગુનેહગાર ગણાશે અને નમાઝ મકરૂહ થશે.
આવી સૂરતનો હુકમ આ છે કે જો કોઈએ ઈરાદાપૂર્વક કે ભૂલથી પ્રથમ ડાબી બાજુ મોઢું ફેરવ્યું તો બીજી સલામ વખતે જમણી તરફ મોઢું ફેરવે અને ફરીવાર ડાબી તરફ સલામ ફેરવવામાં ન આવે અને જો પહેલી સલામ વખતે કોઈ તરફ મોઢું ફેરવ્યું ન હોય તો બીજી સલામ વખતે ડાબી તરફ મોઢું ફેરવે.
(દુ. મુખ્તાર, શામી ૧/૩ર૧/૩પર, તહતાવી ૧૪૯)
Log in or Register to save this content for later.