[ર૩૮] શાંતિથી કવ્‌મહ કરવો વાજિબ છે

Chapter : નમાઝ

(Page : 271)

સવાલ :– ઈમામ સાહેબ રુકૂઅમાંથી ઊભા થઈ એટલીવાર ઊભા રહે છે કે વીસથી પચ્ચીસ જેટલા મુસલ્લીઓ સજદહમાં જવાની તકબીર પહેલાં સજદહમાં ચાલ્યા જાય છે, તો આ બાબત શરીઅતનો શું હુકમ છે? ઈમામ અને મુસલ્લીઓ બંનેમાંથી કોણ ગુનાહગાર થશે ?

જવાબ :– રુકૂઅ પછી શાંતિથી કવ્‌મહ કરવો એટલે ઊભા રહેવું વાજિબ છે અને શાંતિથી કવ્‌મહ અદા કરવા માટે એક વાર સુબ્હાનલ્લાહ પઢી શકાય એટલો વખત ઊભા રહ્યા પછી તકબીર કહી સજદહમાં જવું જોઈએ. માટે જો ઈમામ સાહેબ શાંતિથી કવ્‌મહ અદા કરતા હોય અને મુકતદીઓ સામાન્ય આદત મુજબ રુકૂઅથી ઊભા થઈ તુરત ઈમામ સાહેબથી પહેલાં સજદહમાં જતા રહેતા હોય તો તેઓનું આ પ્રમાણે જલ્દી કરવું મકરૂહ છે અને વાજિબ છોડવા બદલ તથા ઈમામ સાહેબથી પહેલાં સજદહમાં જવા બદલ ગુનાહગાર ગણાશે.    (‘શામી ૧/૩૧ર)

Log in or Register to save this content for later.