[ર૩૭] રુકૂઅ–સજદહની તકબીરનો મસનૂન તરીકો

Chapter : નમાઝ

(Page : 270)

સવાલ : મસ્જિદના ઈમામ રુકૂઅ–સજદહની તકબીર રુકૂઅ– સજદહમાં પહોંચી ગયા પછી કહે તો નમાઝમાં કંઈ વાંધો આવશે ખરો ? અને ઈમામ નમાઝ પઢાવતી વખતે શું નિય્યત કરે ?

જવાબ : રુકૂઅ–સજદહમાં જવાની તકબીર રુકૂઅ–સજદહ માટે ઝુકતી વખતે શુરૂ કરવી અને તેમાં હદથી વધુ અને ગલત મદ્દ કર્યા વગર અને તેને લંબાવ્યા વગર રુકૂઅ–સજદહમાં પહોંચી તુરત પૂરી કરવી સુન્નત છે અને રુકૂઅ–સજદહમાં ગયા પછી તકબીર કહેવી અથવા ચાલુ રાખવી સુન્નત વિરુદ્ધ અને મકરૂહ છે અને તેમાં બે રીતે કરાહત પેદા થાય છે. એક તો જે હાલતમાં તકબીર કહેવાની છે તે હાલતમાં (એટલે કે ઝુકવાની હાલતમાં) તકબીર ન કહેવાથી અને જે હાલતમાં તકબીર કહેવાની નથી તે હાલતમાં (એટલે કે રુકૂઅ–સજદહની હાલતમાં) તકબીર કહેવાથી.

(‘કબીરી ર૯૮,૩પ૭)

                ઈમામ સાહેબ જે નમાઝ પઢવાના હોય તે નમાઝને નકકી કરી પોતે તે નમાઝ પઢવાની નિય્યત કરે અને તેઓની પાછળ નમાઝ પઢનાર નમાઝીઓની ઈમામતની નિય્યત કરે. (‘કબીરી)

Log in or Register to save this content for later.