[ર૩૬] તકબીરે તહરીમાની અદાયગી

Chapter : નમાઝ

(Page : 269)

સવાલ :– ઈમામ સાહેબ જયારે નમાઝ શરૂ કરે તો શું મુકતદીએ પોતાના કાનમાં અવાજ પહોંચે એ પ્રમાણે તકબીરે તહરીમા કહેવી જરૂરી છે ?

જવાબ :– હા, અમલપાત્ર મંતવ્ય મુજબ ધીમેથી તકબીરે તહરીમા કહેવાની સૂરતમાં પણ મુકતદીએ અને દરેક નમાઝીએ તકબીર, તસ્બીહ, દુઆ વગેરેની અદાયગી માટે એટલો અવાજ કાઢવો તો જરૂરી છે કે જો કોઈ રૂકાવટ ન હોય તો તેના પોતાના કાન સુધી અવાજ પહોંચી શકે, જો માત્ર હોઠ અને જબાનને હરકત આપી અને પોતાને સંભળાય એટલો અવાજ ન કાઢયો તો તકબીર કહેલી નહિ ગણાય અને નમાઝ શરૂ કરેલી નહિ ગણાય.(‘શામી ૧/૩પ૮)

Log in or Register to save this content for later.