[ર૩૩] સલામ પછી તુરત ઈમામે નમાઝમાં થતી ભૂલ વિશે મસ્અલહ બતાવવો

Chapter : નમાઝ

(Page : 267)

સવાલ :– ઈમામ સાહેબને મુકતદીઓની નમાઝમાં કંઈ ભૂલ થતી માલૂમ પડી, ફજર અસરની નમાઝો હતી. ઈમામ સાહેબે સલામ ફેરવીને એલાન કર્યું કે દુઆ પછી બધા ભાઈઓ થોભી જશો એક મસ્અલો બતાવવાનો છે. દુઆ પછી લોકો મેહરાબ પાસે ભેગા થયા અને ઈમામ સાહેબે લોકોની જે ભૂલ હતી તે બતાવી અને મસ્અલો બયાન કર્યો તો આ પ્રમાણે જે દિવસે જે નમાઝમાં મુકતદીઓથી ભૂલ થઈ હોય તે નમાઝ બાદ તુરત ઈમામ સાહેબે મસ્અલો કહી સંભળાવવો શરીઅતની રૂએ જાઈઝ છે કે નહિ ?

જવાબ :– જાઈઝ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી એ પ્રમાણે મસ્અલો બતાવવો સાબિત છે.

(‘મિશ્કાત શરીફ ૧૦૧, ‘લમઆત ૩/ર૦ર)

Log in or Register to save this content for later.