[ર૧૮] એકલા નમાઝી માટે ઈકામત

Chapter : નમાઝ

(Page : 257)

સવાલ :– કોઈ મુસલ્લીની જમાઅત ચાલી ગઈ હવે તે ફર્ઝ નમાઝ પઢવા લાગે છે. નમાઝ પઢતી વેળા તેણે ઈકામત પઢવી જોઈએ ? યા વગર ઈકામતે ફર્ઝ અદા કરે ?

જવાબ :– જો જમાઅતની નમાઝ થઈ ગયા પછી પોતાના ઘરમાં તે નમાઝ પઢે, મસ્જિદમાં ન પઢે તો ઈકામત પઢવી તેના માટે મુસ્તહબ છે, જરૂરી નથી અને મસ્જિદની ઈકામતને પૂરતી સમજીને ઈકામત નહિં પઢે તો કોઈ ગુનાહ પણ લાગુ નહિં પડે અને જો તે મસ્જિદમાં નમાઝ પઢે તો બેહતર એ છે કે ઈકામત ન પઢે.   (શામી, ભાગ–૧/ર૬ર–ર૬પ)

Log in or Register to save this content for later.