Chapter : નમાઝ
(Page : 257)
સવાલ :– એકલો રહેતો માણસ ફર્ઝ નમાઝ અદા કરે છે તો અઝાન આપવી જરૂરી છે કે કેમ ?
જવાબ : એકલો રહેતો ફર્ઝ નમાઝ પઢનાર માણસ પોતાના ઘરમાં નમાઝ પઢે અને તે આબાદીમાં મસ્જિદ ન હોય, જ્યાં અઝાન–ઈકામત થતી હોય તો તેણે અઝાન–ઈકામત આપવી મુસ્તહબ છે. જો માત્ર ઈકામત પઢે, અઝાન ન પઢે તો પણ જાઈઝ છે. નમાઝ વિના કરાહતે દુરુસ્ત થઈ જશે અને એવા માણસ માટે અઝાન–ઈકામત બન્ને વસ્તુઓનો ત્યાગ કરવો મકરૂહ અને ગુનાહ છે. નમઝ તો આ સૂરતમાં પણ અદા થઈ જશે. (શામી, ભાગ–૧/ર૬૪)
Log in or Register to save this content for later.