Chapter : નમાઝ
(Page : 256)
સવાલ :– મસ્જિદનો મુઅઝ્ઝિન અઝાન આપી તુરત મસ્જિદના બહાર રખડવા નીકળી પડે છે, તેમજ કોઈવાર પોતાના ખાવા માટે તગારોં માંગવા પણ નીકળી પડે છે તો મુઅઝ્ઝિનનો શું હુકમ છે ?
જવાબ :– અઝાન થયા પછી વિના જરૂરતે મસ્જિદથી બહાર નીકળવું મકરૂહે તહરીમી છે અને વારંવાર એ પ્રમાણે કરનાર માણસ ફાસિક છે. તેની અઝાન મકરૂહ છે અને જો અઝાન આપીને કોઈ જરૂરત માટે જમાઅતમાં પાછા ફરવાના ઈરાદાથી નીકળે તો મકરૂહ નથી.(શામી : ૪૭૯, ભાગ–૧)
Log in or Register to save this content for later.