Chapter : ઝકાત
(Page : 62)
સવાલ :– મારા ત્રણ ભાઈ છે તેમાંથી બે ભાઈની શાદી થઈ ગઈ છે એટલે બેઉ ભાઈની ઓરતો પાસે ૪ (ચાર) તોલા સોનું છે અને મારી વાલિદહ પાસે ર (બે) તોલા સોનું છે, મારી પાસે મારા વાલિદ સાહેબનું સોનું પડેલું છે જે દોઢ તોલા છે. તો શું ઘરના દરેક એટલે કે બે ભાભીઓ, વાલિદહ અને મારા વાલિદ સાહેબનું સોનું જમા કરીને ઝકાત આપવી પડશે ? અને જો આ સોનું જમા કરવામાં ન આવે તો ઝકાત વાજિબ થતી નથી, એટલે ઉપરની સૂરત પ્રમાણે ઝકાત વાજિબ થશે કે નહિ ? હાલાંકે મેં સાંભળ્યું છે કે એક માણસની પાસે સાડા સાત તોલા સોનું યા ચાંદીનો નિસાબ હોય તો ઝકાત વાજિબ થાય છે અને ઉપરની સૂરતમાં મુખ્તલિફ માણસોના સોનાને જમા કર્યા બાદ ઝકાત વાજિબ થાય છે તો શરીઅત આ બાબત શું કહે છે જણાવી મહેરબાની કરશો.
જવાબ :– એક ઘરમાં સંયુકત કુટુંબમાં રહેતી બધી વ્યકિતઓનું સોનું જમા કરી ઝકાતનો નિસાબ નહિ ગણવામાં આવે. જો દરેક વ્યકિતની અંગત માલિકીનું સોનું નિસાબના પ્રમાણમાં ન હોય જેમકે સવાલમાં લખ્યું છે અને સોના સાથે બીજી કોઈ વસ્તું ઝકાત પાત્ર ન હોય તો કોઈના ઉપર ઝકાત ફર્ઝ નહિ થાય. (શામી–ર)
Log in or Register to save this content for later.