Chapter : નિકાહ
(Page : 49-50)
સવાલઃ– એક માણસ ગાંડો, દીવાનો, મજનૂન છે તો તેની ઓરત બીજે નિકાહ કરી શકે છે? ખુલાસો કરશો, તે બીચારી તેના માં – બાપને ઘરે પાંચ વરસથી છે, તેનો ધણી દીવાનો થઈ ભટકતો ફરે છે તો બીજા સાથે નિકાહ પઢે કે નહિ? તેના જવાબ આપશો.
જવાબઃ– ગાંડા માણસની ઓરત તેના નિકાહમાં જ બાકી છે. શોહરના પહેલેથી ગાંડા હોવાથી અથવા શાદી બાદ થઈ જવાથી ઓરતને એ હકક નથી કે તે ગમે તેમ બીજી જગ્યાએ પોતાના નિકાહ કરી લે, જો કરશે તો સખત ગુનેહગાર હોવાની હાલતમાં જિંદગી વીતશે, જો ખરેખર શવહર ગાંડો છે તો ઓરત પોતાનો મામલો કોઈ શરઈ પંચાયત સમક્ષ રજૂ કરે.
(જેમાં કિતાબો જોઈને આવા મામલાના ફેસલો કરવાની લાયકાત ધરાવતો કોઈ એક કે અનેક આલિમો હોય) આગળ શરઈ પંચાયતના ફેસલા મુજબ અમલ કરે. (અલ હીલતુન્નાજિઝહ : ૬ર / ૬પ)
Log in or Register to save this content for later.