[ર૦૮] અઝાનમાં “અસ્સલાતુ ખય્રુજમ્‌ મિનન્નાવ્મ” છૂટી જાય

Chapter : નમાઝ

(Page : 252)

સવાલ :– મુઅઝ્‌ઝિન ફજરની નમાઝમાં “અસ્સલાતુ ખય્‍રુમ્ મિનન્‍નવ્મ” પઢવાનું ભૂલી જાય અને અઝાન પઢયા પછી કોઈ યાદ અપાવે તો અઝાન ફરીથી પઢવી પડશે ?

જવાબ :– જો અઝાન પૂરી થયા પછી તુરત મજકૂર છૂટેલા કલિમાત યાદ આવી જાય અથવા કોઈ યાદ અપાવે તો ‘અસ્સલાતુ ખય્‍રુમ્ મિનન્‍નવ્મબે વાર કહીને તેના પછીના કલિમાત લોટાવી લે, પૂરી અઝાન નહિ લોટાવવી પડે અને જો તુરત યાદ ન આવે અને ન કોઈ યાદ અપાવે તો મજકૂર કલિમાત છૂટી જવાથી અઝાન ન લોટાવે, કારણકે મજકૂર કલિમાત કહેવા મુસ્તહબ છે, અઝાનના બીજા કલિમાતની જેમ સુન્નતે મુઅક્‌કદહ નથી.                     (‘શામી ૧, ‘અહસનુલ ફતાવા ર/ર૮૬)

Log in or Register to save this content for later.