[ર૦૭] અઝાન પછી દુઆમાં હાથ ઉઠાવવા

Chapter : નમાઝ

(Page : 251)

સવાલ :– કોઈ માણસ મસ્જિદમાં હોય અને અઝાન થાય તો અઝાન પછી હાથ ઉઠાવીને દુઆ કરવી કે હાથ ઉઠાવ્યા વગર દુઆ કરવી ?

જવાબ :– અઝાન પછીની દુઆ વખતે હાથ ઉઠાવવા જાઈઝ છે, કારણકે દુઆ વખતે હાથ ઉઠાવવા એ દુઆના સામાન્ય આદાબમાંથી છે, પરંતુ ખાસ અઝાન પછીની દુઆ વખતે હાથ ઉઠાવવા કોઈ હદીસથી સાબિત નથી. અને અમુક આલિમો આવા ખાસ ખાસ વખતની મખસૂસ દુઆઓમાં હાથ ઉઠાવવાને ખિલાફે સુન્નત લખે છે. માટે અફઝલ આ છે કે અઝાન પછીની મખસૂસ દુઆ વખતે હાથ ન ઉઠાવવામાં આવે. અલબત્ત, અઝાન પછી દુઆની મકબૂલિયતનો વખત હોવાથી જો કોઈ માણસ અઝાનની મખસૂસ દુઆ ઉપરાંત પોતાની દીની– દુન્યવી જરૂરતો માટે પણ દુઆ માંગવા ચાહે તો તેના માટે દુઆ વખતે હાથ ઉઠાવવા અફઝલ છે.             (‘ઈમ્દાદુલ ફતાવા ૧/૧૬૩, ‘દર્સે તિરમિઝી ૧)

Log in or Register to save this content for later.