Chapter : નમાઝ
(Page : 250)
સવાલ :– અમારા ગામમાં ત્રણ મસ્જિદો છે. એક દિવસ ફજરની નમાઝ વખતે બે મસ્જિદોમાં અઝાન થઈ અને એક મસ્જિદમાં મુઅઝ્ઝિન સાહેબના સૂઈ રહેવાથી અઝાન ન થઈ. જમાઅતના ટાઈમ પર ઈમામ સાહેબને જાણ કરવામાં આવી, પરંતુ જમાઅતનો ટાઈમ થઈ જવાથી ઈમામ સાહેબે નમાઝ પઢાવી દીધી. ત્યાર બાદ મુકતદીઓ તરફથી મજકૂર નમાઝને જનાઝહની નમાઝનું રૂપ આપવામાં આવ્યું તો ઈમામ સાહેબે કહ્યું કે, જેઓ જનાઝહની નમાઝ ગણે છે તેઓની નમાઝ નથી થઈ, અમારી નમાઝ થઈ ગઈ છે. તો આ બાબત શરીઅત શું કહે છે ?
જવાબ :– એક આબાદીના અનેક મહોલ્લાઓની અનેક મસ્જિદોમાંથી દરેક જ મસ્જિદમાં અઝાન આપવી સુન્નતે મુઅક્કદહ છે. માટે અનેક મસ્જિદોમાંથી કોઈ એક મસ્જિદમાં ઈરાદાપૂર્વક અઝાન છોડવી ખિલાફે સુન્નત છે અને અઝાનનો નકકી કરેલો વખત વીતી જાય અને જમાઅતનો વખત થઈ જાય તો પણ અઝાન આપી દેવી જોઈએ અને પછી પાંચ–દસ મિનીટના અંતરથી જમાઅત કરવી જોઈએ. પરંતુ અમુક ફુકહાએ કિરામના મંતવ્ય મુજબ પૂરી આબાદી માટે અઝાન સુન્નતે મુઅક્કદહ અલલ્ કિફાયહ છે. માટે મજકૂર પરિસ્થિતિમાં જે મહોલ્લાની મસ્જિદમાં અઝાન નથી આપવામાં આવી જો તે મહોલ્લામાં બીજા મહોલ્લાની મસ્જિદની અઝાન સાંભળી શકાતી હોય, તો જે મસ્જિદમાં મોડું થવાથી ફજરની અઝાન નથી થઈ તે લોકો ગુનેહગાર નહિ ગણાય અને તેઓની નમાઝમાં કોઈ કરાહત નહિ આવે.
(‘શામી ૧/રપ૭, ‘મહમૂદિય્યહ ર, ‘ઈમ્દાદુલ અહકામ/૧)
Log in or Register to save this content for later.