Chapter : નમાઝ
(Page : 249)
સવાલ :– અહિંયા મુસ્લિમ હોસ્ટેલમાં ખાસ નમાઝ માટે એક રૂમ બનાવ્યો છે ત્યાં જમાઅતથી નમાઝ પણ થાય છે. કોઈ વખત બે–ત્રણ નમાઝીઓ હોય તો અઝાન આપવી પડે અથવા અઝાન આપ્યા વગર પણ જમાઅતથી નમાઝ પઢી શકાય ?
જવાબ :– મજકૂર હોસ્ટેલ જે આબાદીમાં હોય તે આબાદીની મસ્જિદમાં અઝાન થઈ ચૂકી હોય અને મસ્જિદની અઝાનનો અવાજ હોસ્ટેલ સુધી પહોંચતો હોય તો મસ્જિદની અઝાનને હોસ્ટેલના જમાઅતખાના માટે કાફી સમજી શકાય છે. મજકૂર જમાઅતખાના માટે અલગ અઝાન ન આપવાથી કોઈ ગુનાહ તો લાગુ નહિ પડે, પરંતુ જમાઅતખાના માટે અલગ અઝાન આપવી અફઝલ છે. (‘શામી ૧/ર૬૪)
Log in or Register to save this content for later.