Chapter : નમાઝ
(Page : 244)
સવાલ :– અઝાનનો જવાબ આપવો સુન્નત છે; પરંતુ ફિકહની કિતાબોમાં લખ્યું છે કે આઠ સૂરતોમાં અઝાનનો જવાબ ન આપવો જોઈએ.
(૧) નમાઝની હાલતમાં,
(ર) ખુત્બહ સાંભળતી વખતે,
(૩) હૈઝ યા નિફાસની હાલતમાં,
(૪) ઈલ્મે દીન પઢવા–પઢાવવાની હાલતમાં,
(પ) જિમાઅની હાલતમાં,
(૬) પેશાબ પાખાનામાં,
(૭) ખાવું ખાવાની હાલતમાં
(‘ઈલ્મુલ ફિકહ ર/૧૯)
તો પૂછવાનું એ કે જેના ઉપર જનાબતનું ગુસલ ફર્ઝ હોય અથવા જે એહતિલામની હાલતમાં હોય તેના માટે જવાબ આપવો જાઈઝ છે કે નહિ?
જવાબ :– જે પુરુષ અને ઓરત ઉપર સોહબત કરવાથી અથવા સ્વપ્નમાં એહતિલામ થવાથી જનાબતનું ગુસલ ફર્ઝ હોય તેવા પુરુષ અને ઓરત માટે પણ અઝાનનો જવાબ આપવો મુસ્તહબ છે. (‘શામી૧/ર૬પ)
Log in or Register to save this content for later.