[રર] ત્રણ તલાકવાળી ઓરતના બીજા શૌહરનો હમબિસ્તરી કરવાથી ઈન્કાર જયારે કે ઓરત તેનો દાવો કરે

Chapter : નિકાહ

(Page : 51)

સવાલઃ– એક માણસે પોતાની ઓરતને ત્રણ તલાક આપી દીધી, ત્યાર બાદ ઓરતે પોતાની ઈદ્દત પૂરી કરી બીજા માણસ સાથે નિકાહ કર્યા, ત્યાર બાદ બન્‍નેવ એકાંતમાં રહયા અને પછી બીજા શવહરે પણ તલાક આપી દીધી અને હવે ઓરત પહેલા શૌહર સાથે નિકાહ કરવા ચાહે છે, પરંતુ મામલો આ પ્રમાણે છે કે સોહબતના બારામાં બીજો શવહર કહે છે કે મેં હલાલહ પછી સોહબત કરી નથી અને ઓરત કહે છે કે મારા સાથે સોહબત કીધી છે, તો હવે આ બન્‍નેવમાંથી કોની વાતને માન્ય રાખવામાં આવશે? અને ઓરત પહેલા શવહર માટે હલાલ થશે કે કેમ?

જવાબ :– પૂછેલી સૂરતમાં ઓરતની વાતને માન્ય રાખવામાં આવશે તેનાથી કસમ લઈને પૂછવામાં આવે કે બીજા શવહરે તારાથી સોહબત કરી છે કે નહિ? જો તે કસમ ખાયને બીજા શવહરથી સોહબત થયાનો દાવો કરે  અને બીજા શવહરની તલાકની ઈદ્દત પણ વીતી ગઈ હોય તો હવે પહેલા શવહર માટે ઓરતથી નિકાહ કરવા હલાલ છે.

قال الزوج الثانی کان النکاح فاسدا او لم ادخل بھا وکذبتہ  ( فالقول لھا) کذا فی البحر وعبارۃ البزازیۃ ادعت ان الثانی جامعتھا وانکر الجماع حلت للاول وعلی القلب لا. (શામી – દુર્ર :ર/પ૪ર)

Log in or Register to save this content for later.