Chapter : નમાઝ
(Page : 263)
સવાલ :– મુઅઝ્ઝિન સિવાય અન્ય કોઈ વ્યકિત અઝાન પઢી પોતે ઈન્ફિરાદી રીતે નમાઝ પઢી ચાલ્યો જાય તો આવી સૂરતમાં આવા વ્યકિતનું અઝાન પઢવુ કેવું છે? અને અઝાન પઢયા પછી પોતે ઈન્ફિરાદી તોર પર નમાઝ પઢી શકાય કે કેમ ? અને આ પ્રમાણે આદત બનાવી લેવી કેવું છે?
જવાબ :– જમાઅત સાથે નમાઝ પઢયા વગર મસ્જિદથી નીકળવું નાજાઈઝ છે અને જલ્દી જવા માટે એકલી નમાઝ પઢી લેવી પણ મકરૂહ છે અને આવી આદતવાળા માણસે અઝાન આપવી પણ મકરૂહ છે. (‘શામી’ ભાગ–૧/ ૪૭૯,૪૮૦)
Log in or Register to save this content for later.