Chapter : નમાઝ
(Page : 261)
સવાલ :– હમારે ત્યાં હમણાં ર૪ માણસોની જમાઅત આવી હતી. અઝાન ઈમામ સાહેબે પઢી હતી, જમાઅત ઉભી કરવા માટે તકબીર (ઈકામત) પણ ઈમામ સાહેબે જ કહી, નમાઝ થઈ ગયા પછી જમાઅતના અમીર સાહેબે ઈમામ સાહેબને સવાલ કર્યો કે કયા આપને નમાઝ જિન્નાત લોગોં કો પઢાઈ ? તો ઈમામ સાહેબે જવાબ આપ્યો કે અઝાન મેં પઢી હતી એટલે ઈકામત મેં જ પઢી. ત્યાર બાદ અમીર સાહેબે કહયું કે કયા હમ ઈકામત ન કરતે ? તો આ બાબતનો ખુલાસો આપશો કે ઈમામ સાહેબનું કહેવું છે કે જે અઝાન દે તે જ ઈકામત કહે. શું એ વાત કેવી છે ?
જવાબ :– હઝરત ઉમર (રદિ.)નું ફરમાન છે કે જો હું ખલીફા હોત તો અઝાન પણ આપત, આ ફરમાનના અનુસંધાનમાં ફુકહાએ કિરામ લખે છે કે ઈમામ જ મોઅઝ્ઝિન હોય એ અફઝલ છે. (ફ.કદીર –૧) અને હદીષ શરીફથી એ પણ સાબિત છે કે જે અઝાન આપે તેણે જ ઈકામત કહેવી અફઝલ છે, ચાહે તે ઈમામ હોય કે ગેર ઈમામ, અને તેની મવજૂદગીમાં તેની રજામંદી વગર બીજાનું ઈકામત પઢવું મકરૂહ છે. (શામી ભાગ:૧ / ર૬પ)
માટે પૂછેલી સૂરતમાં ઈમામ સાહેબનું અઝાન અને ઈકામત પઢવું એ અફઝલ તરીકા મુજબ અમલ છે. એમાં કોઈ કરાહત અને વાંધો નથી, તેને ગલત સમજવું જહાલત છે.
Log in or Register to save this content for later.