Chapter : નમાઝ
(Page : 260)
સવાલ :– હાલ અસરનો સમય ૪–૩૬, ૪–૩૭, ૪–૩૮ છે. તેમજ ઈશાનો સમય પણ આજ રીતે વધે છે. તો અસરની અઝાન ૪–૩પ ઉપર પઢે તો ચાલે કે કેમ? કે તકવીમ પ્રમાણે ૪–૩૬ થતા ૪–૪૦ કલાકે અઝાન પઢવી જોઈએ. એવી જ રીતે ઈશાની અઝાન છાપેલા સમય પ્રમાણે કેવી રીતે પઢવી ?
જવાબ :– ફર્ઝ નમાઝની અઝાન નમાઝનો વખત શરૂ થયા પછી જ આપવી એ સુન્નત છે. સમય શરૂ થતાં પહેલાં અઝાન આપવી જાઈઝ અને મોઅતબર નથી. જો વખત પહેલાં અઝાન અપાઈ જાય તો વખત શરૂ થયા પછી ફરીવાર આપવનો હુકમ છે. માટે દરેક નમાઝના તકવીમમાં લખેલા સમયથી થોડી પહેલાં અઝાન આપવી દુરૂસ્ત નથી. તેનાથી થોડી મિનિટો બાદ જ અઝાન આપવી જોઈએ. (શામી – ૧)
Log in or Register to save this content for later.