Chapter : નમાઝ
(Page : 261)
સવાલ :– અમે શિક્ષકો ફકત ઝોહરની નમાઝ શાળામાં રિશેષ દરમ્યાન જમાઅત સાથે પઢીએ છીએ. ગામની મસ્જિદની અઝાન શાળામાં સ્પષ્ટ સંભળાય છે. તો શું અમારે શાળામાં પણ અલગ અઝાન આપવી પડશે ? એક શિક્ષકનું કહેવું છે કે આપણે જમાઅત સાથે નમાઝ પઢીએ છીએ એટલે અઝાન આપવી પડશે.
જવાબ :– ગામની શાળામાં જમાઅતથી નમાઝ પઢવા માટે ગામની મસ્જિદની અઝાન પૂરતી છે. શાળામાં અલગ અઝાન આપવી જરૂરી નથી. પરંતુ આ પ્રમાણે મસ્જિદની જમાઅત છોડી અલગ જમાઅત કરવાની આદત ન બનાવવી જોઈએ. ભલે ફર્ઝની આગળ પાછળની સુન્નતો શાળામાં જ પઢી લો. પરંતુ જમાઅતની નમાઝ તો દસ મિનિટનો સમય કાઢી મસ્જિદમાં જ પઢવાની કોશિષ કરવી જોઈએ. (શામીઃ૧)
Log in or Register to save this content for later.