Chapter : નમાઝ
(Page : 295)
સવાલ :– નફલ નમાઝો–તહજ્જુદ, ઈશ્રાક, ચાશ્ત, અવ્વાબીન વગેરેના રુકૂઅ–સજદહ અને કઅ્દહમાં પોતાની હાજતને લગતી કુરઆન તેમજ હદીસની દુઆ કોઈપણ ફેરફાર વગર પઢી શકાય ? નમાઝમાં કંઈ કરાહત આવશે ?
જવાબ :– સુન્નત અને નફલ નમાઝોના રુકૂઅ–સજદહ અને કઅ્દહમાં કુરઆન અને હદીસની દુઆઓ પઢવી વિના કરાહતે જાઈઝ છે.
(શામી, ભાગ–૧/૩૦૪)
Log in or Register to save this content for later.